ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા દિવાળીના તહેવાર પર ગુપચુપ પોતાના ગુરુને મળવા પહોંચ્યા. એ દરમિયાન આમ્બુવાલા સ્થિત અનંતધામમાં પૂજા અર્ચના કરીને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી.
વિરાટ કોહલીનો મંગળવારે જન્મદિવસ હતો. એ પત્ની અનુષ્કા શર્માની સાથે દિવાળીએ રાતે 11:30 વાગ્યે આમ્બુવાલા સ્થિત અનંતધામ પહોંચ્યો હતો. અહીંયા એમને પોતાના આધ્યાત્મિક ગુરુ અનંત બાબાની દેખરેખમાં પૂજા અર્ચના કરી. ત્યારબાદ બંને આશ્રમમાં અન્ય અનુયાયિઓને મળ્યા.
આ પહેલા વિરાટ અને અનુષ્કા સાત ડિસેમ્બર 2014એ પણ અનંતેશ્વર મહાદેવનો જળાભિષેક કરવાની સાથે ત્યાં ગયા હતા. ત્યારબાદ અનુષ્કા કોહલીને સાથે લઇને ધામમાં 28 ડિસેમ્બર 2016એ આવી હતી. ત્યારથી એમના લગ્નની તૈયારીઓ ઘરના લોકોએ શરૂ કરી દીધી હતી.
ખાસ વાત એ છે કે અનંત ધામ આશ્રમના સંસ્થાપક બાબા અનંતને વિરાટ અને અનુષ્કા પોતાના લગ્નમાં ઇટલી પણ લઇને ગયા હતા. ત્યાં એમને લગ્નમાં પહોંચીને આશીર્વાદ આપ્યા. જાણકારી અનુસાર બાબા તાજેતરમાં જ 5 નવેમ્બરે પણ અનુષ્કા અને વિરાટને મળવા એમના જન્મદિવસે હોટલ આનંદા ગયા હતા.