માંકડિંગ મામલે વિરેન્દ્ર સેગવાગે ટ્વિટ કરીને કહ્યું કે અંગ્રેજો પોતાનાં નિયમોને ભૂલી ગયા છે.
ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં ભારતની જીત
માંકડિંગ પર વીરેન્દ્ર સેહવાગે આપ્યો જવાબ
સેહવાગે કહ્યું અંગ્રેજો પોતાના જ નિયમો ભૂલી જાય છે
ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં ભારતની જીત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસનો અંત એક મોટા વિવાદ સાથે આવ્યો. ત્રીજા વન ડે મુકાબલામાં દિપ્તી શર્માએ ઈંગ્લેન્ડની બેટર ચાર્લોટ ડીનને નોન સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ એટલે કે માંકડિંગ કરી હતી. દિપ્તિની આ હરકત બાદ ક્રિકેટ જગત એકવાર ફરી બે હિસ્સાઓમાં વહેંચાઈ ગયું છે. ઘણા ક્રિકેટ પંડિત કહી રહ્યા છે કે દિપ્તીએ કંઇ જ ખોટું નથી કર્યું કેમકે આ નિયમોની અંતર્ગત આવે છે, તો ઘણા ખેલાડી આ ખેલ ભાવના વિરુદ્ધ જણાવી રહ્યા છે. આ વચ્ચે ભારતીય પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું ટ્વિટ સામે આવ્યું છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
સેહવાગે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આટલા બધા અંગ્રેજી લોકોને હારેલા જોવું મજેદાર છે. આ એક તસવીરમાં તેમણે લખ્યું છે કે જેમણે રમતની શોધ કરી તે નિયમો ભૂલી ગયા છે. બીજી તસવીરમાં તેણે માંકડિંગનો નિયમ પણ શેર કર્યો છે.
શું કહ્યું કેપ્ટન હરમનપ્રીત કૌરે?
મેચ બાદ પ્લેયર ઓફ ધ સીરિઝનો પુરસ્કાર લેતા સમયે કૌરે રન આઉટને લઈને વાત કરતાં કહ્યું કે મેં વિચાર્યું હતું કે તમે પહેલી નવ વિકેટ વિષે પૂછશો કેમકે તે લેવી પણ સરળ ન હતી. મને લાગે છે કે અમે કંઇક નવું કર્યું છે. મને લાગે છે કે આ તમારી જાગરૂકતા દર્શાવે છે કે બેટર શું કરી રહ્યો છે. હું પોતાના ખેલાડીનું સમર્થન કરીશ કેમકે મને નથી લાગતું કે કંઇપણ એવું થયું છે જે આઇસીસીના નિયમો વિરુદ્ધ હોય.
શું હતો મામલો?
મેચ સમયે દીપ્તિ શર્મા 44મી ઓવરમાં બોલિંગ કરી રહી હતી ત્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે તેને ચાર્લોટ ડીનને માંકડિંગ કરવાનો ઈશારો કર્યો હતો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાર્લોટ ડીને 80 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. અને આ રીતે આઉટ થવા પર મેદાન પર જ તેની આંખો ભીની થઈ ગઈ હતી.