પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ અને અજય જાડેજાએ ટીમ ઈન્ડીયાના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યાં છે.
શું કોઈ ખેલાડીમાં ટીમ મેનેજમેન્ટની સામે બોલવાની હિંમત છે ? સહેવાગ
શિખર ધવનની એક પારી ખરાબી થઈ હોવા છતાં પણ તેને તક મળી
શું શિખર પૂછી શકે કે મને આગળ તક મળશે કે નહીં ?
ઈંગ્લેન્ડ સામે ટી 20 સિરિઝમાં ટીમ ઈન્ડીયા 1-2 થી પાછળ ચાલી રહી છે. ગુરુવારે રમાનારી ચોથી ટી20 ટીમ ઈન્ડીયા માટે મરો યા મરોની લડાઈ બની રહેવાની છે.આ મેચમાં હારનો અર્થ સિરિઝ ગુમાવવી છે. વિરેન્દ્ર સહેવાગ અને અજય જાડેજાએ ચોથી ટી-20 પહેલા ટીમ ઈન્ડીયાના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યો છે. સહેવાગે જણાવ્યું કે શું કોઈ ખેલાડીમાં ટીમ મેનેજમેન્ટની સામે બોલવાની હિંમત છે ખરી. સવાલ પૂછવામાં આવે કે કેએલ રાહુલની 3 પારીઓ કેમ બગડી અને શિખર ધવનની એક પારી ખરાબી થઈ હોવા છતાં પણ તેને તક મળી ? શું શિખર પૂછી શકે કે મને આગળ તક મળશે કે નહીં ? શું આવું પૂછવાની તેની તાકાત છે ખરી ?
અજય જાડેજા બોલ્યો, પંડ્યાની પોઝિશન સાથે ખિલવાડ
પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ પણ ટીમ ઈન્ડીયાની રણનીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ખેલાડીઓને તેમના સાચા ક્રમમાં તક મળી રહી નથી. જાડેજાએ હાર્દિક પંડ્યાની પોઝિશન અંગે આ વાત કહી. તેણે કહ્યું કે હાર્દિક પંડ્યા જ્યારે રમવા આવે ત્યારે આર્ચર, વુડ તેમને મળે છે. પરંતુ જ્યારે નબળા બોલર્સ બોલિંગમાં આવે ત્યારે તેમને રમવા મોકલવો જોઈએ. હાર્દિક પંડ્યા સેમ, જોર્ડનની સામે ત્વરિત રમી શકે છે. સહેવાગે કહ્યું કે ટીમ ઈન્ડીયાને બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની સાથે જ મેદાનમાં ઉતારવા જોઈએ. વિરાટ કોહલી ફોર્મમાં ચાલી રહ્યો છે, ખેલાડીઓને તક મળે તે માટે તેમને સાચી પોઝિશનમાં રમાડવા પણ જરુરી છે.
રોહિત શર્માને આરામ આપવાના કોહલીના નિર્ણયની સામે પણ સેહવાગે સવાલ ઉઠાવ્યો
સારુ રમી રહેલા રોહિત શર્માને આરામ આપવાના કોહલીના નિર્ણયની સામે પણ સેહવાગે સવાલ ઉઠાવ્યો. દરેકને આશા હતી કે ટેસ્ટ સિરિઝ દરમિયાન ઝંઝાવતી રમત રમનાર રોહિત શર્માને રમાડવામાં આવશે પરંતુ તેને આરામ આપી દેવાયો છે. ખુદ વિરાટ કોહલી પણ પ્રેસ કોન્ફરન્સમાં કહી ચૂક્યો છે કે રોહિત શર્મા રાહુલની સાથે બેટિંગમાં ઉતરશે. જોકે ત્યાર બાદ શર્માની જગ્યાએ શિખર ધવનને સામેલ કરી લેવાયો.