હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનું લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન થયું છે.
વીરભદ્ર સિંહનું લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન
હિમાચલ પ્રદેશમાં 6 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
87 વર્ષીય વીરભદ્ર સિંહ કોરોનાને હરાવી ચૂક્યા છે
વીરભદ્ર સિંહનું લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન થયું છે. કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહએ 87 વર્ષની ઉંમરે શિમલામાં સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આ હોસ્પિટલમાં મેડિકલ સુપરિટેન્ડેટ ડો. જનક રાજે આની જાણકારી આપી.
Himachal Pradesh | Former Himachal Pradesh Chief Minister & Congress leader Virbhadra Singh passes away at 87 after battling with prolonged illness in early hours of the day: Medical Superintendent Dr Janak Raj, Indira Gandhi Medical College and Hospital, Shimla
ડો. જનક રાજે જણાવ્યું, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ જીનું અહીં ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સવારે લગભગ 4 વાગે મલ્ટી ઓર્ગેન ફેલ્યોરના કારણે નિધન થઈ ગયો. 87 વર્ષીય વીરભદ્ર સિંહ પહેલા કોરોના પીડિત હતા અને તેમણે 13 એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓ કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.
હિમાચલ પ્રદેશમાં 6 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
મનાઈ રહ્યું છે કે કોરોનાથી સાજા થયા અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ તેમની તબિયત ફરીથી ખબર થઈ અને તેમને આઈજીએમસીમાં થોડાક દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. તે ગત 2 દિવસોથી વેન્ટિલેટર પર હતા. વીરભદ્ર સિંહ હિમાચલ પ્રદેશમાં 6 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.