ચોથા દિવસે ભારતે માત્ર 11 મીનિટ અને બે ઓવરોમાં મેચ પોતાના નામે કરી લીધી છે. આ ધમાકેદાર જીત બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું અમે દુનિયામાં ક્યાંય પણ જીતી શકીએ છીએ. વધુમાં કહ્યું કે એને આ ટીમ પર ગર્વ છે.
ટેસ્ટ મેચોમાં સીરિઝમાં દક્ષિણ આફ્રિકાનું 3-0થી ક્લીન સ્વીપ
સીરિઝ જીત્યા બાદ કોહલીએ કહ્યું- દુનિયામાં અમે ક્યાંય પણ જીતી શકીએ છીએ
ભારતે રાંચી ટેસ્ટ મેચના ચોથા દિવસે મંગળવારે દક્ષિણ આફ્રિકાને ઇનિંન્ગ અને 202 રનોથી હરાવી દીધું છે. એની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને 3-0થી ક્લીન સ્વીપ કરી દીધું. ચોથા દિવસે ભારતને મેચ જીતવા માટે માત્ર 2 વિકેટ પાડવાની હતી જે દિવસની બીજી ઓવરમાં જ એને પ્રાપ્ત કરી લીધી.
આ ધમાકેદાર જીત બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, 'અમે દુનિયામાં ક્યાંય પણ જીતી શકીએ છીએ. મેચના પરિણામ ઘણી હદ સુધી માઇન્ડસેટ અને મહેનત પર નિર્ભર કરે છે. દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ બનવા માટે તમારે દરેક વિભાગમાં બેસ્ટ થવું પડે છે.'
જીત બાદ શું કહ્યું કોહલીએ?
કોહલીએ કહ્યું, 'આ શાનદાર જીત છે. એક ટીમના રૂપમાં અમે જે રીતે પ્રદર્શન કર્યું છે એ ગર્વની વાત છે.' કોહલીએ કહ્યું, 'એક ટીમ તરીકે અમારું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. મને મારી સમગ્ર ટીમ પર ગર્વ છે. વિદેશી પ્રવાસ પર પણ અમે દરેક મેચમાં જોરદાર સ્પર્ધા આપી છે.'
આઇસીસી રેંકિંગમાં નંબર વન પર કાબિજ ભારતીય ટીમે એની સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત દક્ષિણ આફ્રિકાની ત્રણ અથવા એનાથી વધારે મેચોની ટેસ્ટ સીરિઝમાં સૂપડાં સાફ કર્યા છે. રી-એડમિશન બાદ દક્ષિણ આફ્રિકાનો ભારતે પહેલી વખત સફાયો કર્યો છે.