ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માને આપવામાં આવી છે એવામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણી આશા રહેશે કે તેઓ ટીમ ઇન્ડિયાના 'ગાઇડ' તરીકે ટીમની મદદ કરે.
ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ 1-4થી હાર્યા પછી ટીમ ઇન્ડિયાને આશા છે કે આ વખતે હારને ભૂલીને એશિયા કપમાં શાનદાર પરફૉર્મન્સ કરવું પડશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 18 સપ્ટેમ્બરના હોંગકોંગ સામે રમાશે. ધોનીનું ઇંગ્લેન્ડમાં પરફૉર્મન્સ કંઇ ખાસ ન હતુ પરંતુ એશિયા કપમાં તે પોતાના ફેન્સને નિરાશ નહી કરે અને સાથે જ પોતાની અનુભવ અને જ્ઞાનની મદદથી ટીમ ઇન્ડિયાને મદદ કરશે.
ધોનીએ લગભગ 18 મહિના પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી હતી પરંતુ આજે પણ ટીમના તમામ પ્લેયર્સ તેની રણનીતિને માને છે. આગામી વર્ષે વર્લ્ડ કપ રમાશે અને ધોની પાસે એશિયા કપ સારી તક છે. જોકે એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહેલા રોહિત શર્માએ કહ્યુ કે ''વર્લ્ડ કપ માટે ઘણો સમય છે અને એશિયા કપમાં કૉમ્બિનેશનનો પ્રયોગ કરવાનો સારી તક છે.''
દિનેશ કાર્તિકને એશિયા કપમાં ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી છે. જોકે વિકેટકીપિંગની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોનીની હશે. લાગી રહ્યુ છે કે ટીમ મેનેજમેન્ટ દિનેશ કાર્તિક જેવા ખિલાડીને ધોનીની રિપ્લેસમેન્ટ માટે નથી જોવા ઇચ્છતા. વર્લ્ડ કપની પહેલા ધોનીની ભૂમિકામાં કોઇ પણ પ્લેયરને તૈયાર કરવાનું મુશ્કેલ છે.
ઇંગ્લેન્ડમાં 3 મહિનાના લાંબા પ્રવાસ પછી એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ ફરી ફોર્મમાં રમવાનું છે. ટીમ પ્રબંધને 75% જેટલી ટીમને સયુંક્ત અરબ અમીરાત મોકલી છે જે ઇંગ્લેન્ડના પ્રવાસમાં વનડે ફોર્મેટ રમી છે. કેટલાક પ્લેયર્સ ટેસ્ટ ફોર્મેટમાં પણ રમ્યાં છે માત્ર 3 દિવસનો આરામ કર્યો છે અને પછી દુબઇમાં જવા માટે રવાનગી થઇ ગઇ છે.
ભુવનેશ્વર કુમારને રાહત આપવા માટે નેટ્સ પેક્ટિસ માટે 6 બૉલર્સને UAE મોકલ્યા છે. ભુવનેશ્વર કુમારને ઇજા હમણાં ઠીક થઇ છે જેથી તેના પર દબાણ ના આવે આ માટે 6 બૉલર્સને નેટ્સ પર પ્રેક્ટિસ કરવા માટે મોકલવામાં આવ્યા છે.