વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી માટે જ્યારે સિલેક્ટર્સ સ્પિલ્ટ કેપ્ટન્સી (વન ડે અને ટેસ્ટ માટે અલગ-અલગ કેપ્ટન) પર ચર્ચા કરી શકે છે.
જોકે વિરાટ કોહસી આ પ્રવાસ પર અને તેના પછીના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરશે. પહેલા એવી ચર્ચા હતી કે વિરાટની જગ્યાએ વનડે અને T-20માં રોહિત શર્મા કેપ્ટન બની શકે છે પરંતુ હાલમાં આ અંગેની કોઇ યોજના નથી.
વિરાટ કોહલીને ક્રિકેટના તમામ ફોર્મેટમાં દુનિયાના સૌથી સારા બેટ્સમેન માનવામાં આવે છે. તે આગામી મહિને શરૂ થનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન વને ડે ઇન્ટરનેશનલ, T-20 અને ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. જાણકારો અનુસાર, રવિવારે થનારી સિલેક્શન કમિટી મીટિંગમાં આ અંગે ચર્ચા થઇ શકે છે.
ટીમ ઇન્ડિયાની પાસે વર્ષ 2016માં ટેસ્ટ અને વનડે માટે અલગ-અલગ કેપ્ટન છે. આ સમયે મહેન્દ્ર સિંહ ધોની એકદિવસીય મેચ જ્યારે વિરાટ ટેસ્ટ મેચની કેપ્ટન્સી કરતો હતો. આ પહેલા નવેમ્બર 2007થી ઓક્ટોબર 2008 સુધી અનિલ કુંબલે ટેસ્ટ કેપ્ટન અને T-20-વનડે કેપ્ટન રહ્યો. જોકે ટીમ ઇન્ડિયામાં સ્પિલ્ટ કેપ્ટન્સી વધારે કમાલ નથી કરી શકી.
મહત્વનું છે કે, ગુરુવારે BCCI સચિવ અમિતાભ ચૌધરી એક કોર્ટ કેસના કારણે રાંચીથી પાછા ના આવી શક્યા અને તેના કારણે સિલેક્ટર્સની બેઠક ટાળવી પડી. એમએસ કે પ્રવાદ જેઓ પસંદગી સમિટીના પ્રમુખ છે, હવે અધ્યક્ષતા કરશે અને રવિવારની બેઠકનું પણ સંયોજન કરશે.
ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ઝિ પ્રવાસ પર આગામી 3 ઓગ્સ્ટના જઇ રહી છે. આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી આજે થવાની હતી જે ટાળીને હવે રવિવારે થશે. જોકે આ વચ્ચે ટીમ ઇન્ડિયાની વિશ્વાસ છે કે તેઓ બાકીની સીરિઝ અને ટૂર્નામેન્ટની જેમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન એનર્જી અને કમિટમેન્ટની સાથે રમશે.
ટીમના નજીકના સૂત્રોનુસાર, ''ગત વર્ષ અમે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમ્યા. આ પહેલા શ્રીલંકા સામે રમ્યા. હવે વેસ્ટ ઇન્ડિઝ સાથે રમીશું. આ પછી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પણ કરશે. 24 મહિનમાં દરેક ટેસ્ટ ટીમ સામે રમીશું.''