નવ વિવાહિત કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના વ્યસ્ત શેડ્યૂલથી ટાઈમ કાઢીને એક બીજા સાથે કેવોલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. ત્યાં એક સમાચાર એવા મળ્યા છે કે તે બંને રજા માણવા માટે શ્રીલંકા પણ જઈ શકે છે.
મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ શ્રીલંકાના રમત મંત્રી દયાસરી જયાસેકરાએ આ કપલને શ્રીલંકામાં થોડા દિવસો ગાળવા માટે આમંત્રણ આપ્યું છે.
તેઓ ઇચ્છે છે કે વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે થોડા સુંદર દિવસોમાં ત્યાં પસાર કરે. બન્ને લગ્ન પછી શ્રીલંકા ગયા નથી. શ્રીલંકાના રમત મંત્રી દયાસરી જયાસેકરા કોહલીના ફેન છે.
વિરુષ્કા લગ્ન પહેલાં શ્રીલંકા ગયા હતા અને તે સમય દરમ્યાન તેમના વાવેતર કરતા ફોટોગ્રાફ મળી આવ્યા હતા.
હાલ જ્યારે વિરાટ બ્રેક પર છે ત્યારે અનુષ્કાએ સુઈ-થાગા ફિલ્મની શૂટિંગમાંથી થોડો સમય લીવ લીધી છે. ફિલ્મમાં અનુષ્કા અલગ અવતાર જોવા મળશે. તે એક સીધી દિલનું મહિલા તરીકે ગામમાં જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ ધવન પણ છે. આવા સમયે થોડો સમય પસાર કરવા માટે તેઓ શ્રીલંકા જઈ શકે છે.
અનુષ્કા શર્માની પરી હોળી પર રિલિઝ કરવામાં આવી હતી. તેને ટીકાકારો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે પાંચ દિવસમાં તેની મેકિંગની કિંમત વસૂલ કરી લિધી હતી.
આ ઉપરાંત અનુષ્કા શર્મા ફિલ્મ 'ઝિરો' માં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે દેખાશે. જેમાં અનુષ્કા એક સ્ટ્રગલિંગ વૈજ્ઞાનિક બની છે.
વિરાટ અને અનુષ્કાએ ગત વર્ષે ડિસેમ્બરમાં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આ બંનાની ડેસ્ટિનેશન વેડિંગ કેટલાક દિવસો સુધી હેડ લાઈન્ઝમાં છવાઈ ગઈ હતી.