જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને UN મહાસભાના ગૃહની બહાર નીકળતા જોઈને તરત જ ભારતીય લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
#WATCH | The US: PM Narendra Modi meets people gathered outside his hotel in New York. He is about to leave for John F Kennedy International Airport from where he will depart for India. pic.twitter.com/RCjpZVM9LL
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય. તો અફઘાનિસ્તાને લઈને પણ નિવેદન આપતા કહ્યું હતું કે,અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ઉપયોગ કોઈ દેશ પોલિટિકલ ટૂલની જેમ ઉપયોગ ન કરે.
બાળપણના સંસ્મરણો વાગોળ્યા
તો પોતાના કાર્યકાળ અને બાળપણના સંસ્મરણો વાગોળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની ડેમોક્રેસની તાકાત છે કે, એક નાનકડું બાળક,જે ક્યારેક રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી રહ્યું હતું. જે આજે ચોથી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે UNGAમાં સંબોધન કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, સૌથી લાંબા સમય માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ છેલ્લા 7 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે નાગરિકોની સેવા કરતા 20 વર્ષ થઈ રહ્યા છે.
વેક્સિનેશનને લઈને આપ્યું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે,ભારતમા 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળ્યું છે, 50 કરોડથી વધારે લોકોને મફત સારવાર આપી છે, ત્રણ કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું, ભારતે દુનિયાની પહેલી DNA વેક્સિન વિકસિત કરી લીધી હોવાની તેમણે વાત કરી હતી. આ સાથે જ તેમણે દુનિયાના વેક્સિન બનાવનાર કંપનીઓને ભારતમાં આવીને વેક્સિન બનાવવા આમંત્રણ આપ્યું હતું.
જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો વિકાસ થાય છે
સંયુક્ત રાષ્ટ્રમાં સામાન્ય સભાના સંબોધનમાં PM મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કર્યો હતો, આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, અમારી વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાને મદદ કરી શકે છે.
કોરોનાના મૃતકોના પરિવારજનો માટે વ્યક્ત કરી સંવેદન
તેમણે સંબોધનની શરૂઆત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે.