મંગળવારે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં કાનપુરના બિકુરુ ગામ જેવો જ કિસ્સો સામે આવ્યો છે. ગેરકાયદેસર દારૂ બનાવવાનો સમાચાર મળતાં અહીં પહોંચેલી પોલીસ પર માફિયાઓએ હુમલો કર્યો હતો.
ઉત્તરપ્રદેશમાં ફરીથી બિકરું જેવો કાંડ
પોલીસને બંધક બનાવી હત્યા કરાઇ હોવાનો દાવો
દારૂ માફિયાઓએ ક્રાઇમને અંજામ આપ્યો
રિપોર્ટ અનુસાર સિધપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને સૈનિકને દારૂ માફિયાઓએ માર માર્યો હતો અને તેમની યુનિફોર્મ ફાડી નાખી હતી. સાથોસાથ, તેમને લઈ પણ ગયા હતા, આ માફિયાઓએ પહેલા ઇન્સ્પેક્ટર અને સૈનિકને બંધક બનાવ્યો હતો અને ત્યારબાદ બંનેને ગાયબ કર્યા હતા. બાદમાં, ઇન્સ્પેક્ટર ખેતરમાંથી લોહિયાળ હાલતમાં મળ્યા હતા અને બીજા પોલીસકર્મીની લાશ બીજી જગ્યાએથી મળી આવી હતી.
Chief Minister has directed for treatment of the inspector who has been injured and announced an ex-gratia of Rs 50,000 and govt job for a family member of the constable who lost his life: Chief Minister's Office
Both the inspector & constable were held hostage in Kasganj.
સિદ્ધપુરા આરોગ્ય કેન્દ્ર નજીક પોલીસને કોન્સ્ટેબલ દેવેન્દ્રની ડેડબોડી મળી આવી છે. હકીકતે આ માફિયાઓએ બંધક પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી નાખી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ બનાવની ગંભીરતાને સમજીને ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં આ કાંડના આરોપીઓની શોધખોળ ચાલુ છે. સબ ઈન્સ્પેક્ટર અશોકની હાલત હજુ નાજુક બતાવાઈ રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં સામેલ તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને યોગ્ય સારવાર આપવાનું પણ કહ્યું છે. કાસગંજનાં જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશસિંહે કહ્યું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ સમગ્ર પ્રકરણ પર નજર રાખી રહ્યા છે. તેમણે મૃતક દેવેન્દ્રના પરિવારને 50 લાખની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ખુદ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે.
બિકરુંમાં પણ આવી જ એક ઘટનામાં ઘણા પોલીસ વાળાની મોત થઈ ગઈ હતી
નોંધપાત્ર વાત એ છે કે યુપીના કાનપુરના બિકરૂ ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. બિકરૂમાં માફિયા વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. તેમાં એક સીઓ સહિત ઘણા પોલીસ જવાન શહીદ થઈ ગયા હતા.