દેશના 9000 કરોડ લઇને ફરાર થઈ ગયેલા વિજય માલ્યાના એક નિવેદનથી ભારતની રાજનીતિમાં હલચલ શરૂ થઇ ગઇ છે. બુધવારે લંડનમાં વિજય માલ્યાએ દાવો કર્યો કે ''ભારત છોડતા પહેલા તે નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યો હતો.'' આ નિવેદન પછી વિપક્ષ અરૂણ જેટલીના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ પણ દાવો કર્યો છે કે ''તેમણે અરૂણ જેટલીને વિજય માલ્યાને મળતા જોયા હતા.''
બુધવારે જ્યારે માલ્યાએ આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો તેની થોડીવાર પછી જ નાણામંત્રી અરૂણ જેટલીએ નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી કે ''તે માલ્યાને મળ્યા હતા પરંતુ તે મુલાકાત સત્તાવાર રીતે ન હતી.''
જોકે આ પછી કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ ટ્વીટ કર્યુ. તેમણે લખ્યુ કે ''અરૂણ જેટલી જૂઠું બોલી રહ્યા છે મેં સેન્ટ્રલ હૉલમાં તેમણે માલ્યાની સાથે લાંબી બેઠક કરતા જોયા હતા આ બેઠક માલ્યાના લંડન જવાના 2 દિવસ પહેલા થઇ હતી.''
Arun Jaitly is lying. I saw him having prolonged meeting in Central Hall of Parliament about two days before he was allowed to escape from India. Choukidar is not only Bhagidar but also Gunahagar. @INCIndia@INCChhattisgarhhttps://t.co/VJkDk1ZCkK
બુધવારે પ્રત્યાર્પણ મામલે ચાલી રહેલા સુનાવણી દરમિયાન દારૂ વેપારી વિજય માલ્યાએ એક નિવેદન આપીને ભારતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. માલ્યાએ કહ્યુ કે 'તેઓ ભારત છોડ્યા પહેલા નાણામંત્રીને મળ્યા હતા. તે સેટલમેન્ટ લઇને નાણામંત્રીને મળ્યા હતા પરંતુ બેંકોએ તેમના સેટલેમેન્ટના પ્લાનને લઇને સવાલ કર્યા હતા.' માલ્યાએ આગળ કહ્યુ કે ''તેઓ તમામ પ્રકારનું દેવું ચૂકવવા માટે તૈયાર છે.''
અરૂણ જેટલી કરી સ્પષ્ટતા:
જોકે બીજી તરફ અરૂણ જેટલીએ પોતાના બ્લોગમાં આ તમામ આરોપોને ફગાવી દીધા છે. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે ''વિજય માલ્યાએ કહ્યુ કે ''તેઓ ભારત છોડતા પહેલા સેટલમેન્ટની ઑફર લઇને મને મળ્યા હતા. તથ્યાત્મક રીતે આ નિવદેન તદ્દન ખોટું છે. 2014થી અત્યાર સુધી મેં માલ્યાને કોઇ મુલાકાત માટેની અપોઇમેન્ટ આપી નથી એવામાં મને મળવાનો સવાલ જ ઉભો થતો નથી. જોકે તેઓ રાજ્યસભાના સભ્ય હતા અને ક્યારેક ક્યારેક સંસદમાં આવતા હતા. સંસદની કાર્યવાહી બાદ એક વખત હું જ્યારે મારા રૂમ તરફ જઇ રહ્યો હતો ત્યારે તેઓ દોડતા-દોડતા મારી તરફ આવ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે હું સેટલમેન્ટ માટે એક ઑફર તૈયાર કરી રહ્યો છું. મેં તેમણી આ ઑફર જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. મેં માલ્યાને કહ્યુ કે મારી સામે ઑફર મૂકવાનો કોઇ અર્થ નથી તેમણે એ વાત બેંકોની સામે રાખવી જોઇએ. ત્યાં સુધી કે એ દરમિયાન તેમના હાથમાં જે પેપર હતા તે લીધા પણ નહોતા''