જેતપુરના ખેડૂતો પર GETCO કંપનીની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. કંપનીએ ખેડૂતોની મંજૂરી લીધા વગર જ ખેતરોમાં વીજપોલ નાખી દેતાં ખેડૂતો રોષે ભરાયા. ખેતરોમાં વીજપોલ ઉભા કરી 3 કિ.મી લાંબી વીજલાઇન નાખી કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી આપી ડરાવવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે ખેડૂતોએ સામુહિક આત્મવિલોપન કરવાની ધમકી આપી છે. તો દેવકી ગામના ખેડૂતોએ મામલતદારને પણ રજૂઆત કરી છે.