બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / VIDEO: Nana Mukesh Ambani arrives to meet Isha's twin children, the family will donate so many kilos of gold

વાયરલ / VIDEO: નાના મુકેશ અંબાણી મળવા પહોંચ્યા ઈશાના ટ્વીન્સ બાળકો, આટલા કિલો સોનું દાન કરશે પરિવાર

Megha

Last Updated: 04:26 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર માં ઈશા અંબાણીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં જોડિયા બાળકો કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો અને આ જોડિયા બાળકોના આગમન પછી ઈશા પહેલીવાર ઘરે આવી છે.

  • ઈશા અંબાણી આજે પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી
  • ઈશા અને તેના બાળકો માટે થશે પૂજા 
  • અંબાણી પરિવાર દાન કરશે આટલા કિલો સોનું?

ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના આખા પરિવાર માટે આજનો દિવસ ઘણો ખાસ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી આજે પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ પહેલેથી જ કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુકેશ અંબાણી પોતે દીકરીને રિસીવ કરવા પોતે જશે અને એવું જ થયું. 

ઈશા અને તેના બાળકો માટે થશે પૂજા 
જણાવી દઈએ કે આ જ વર્ષ નવેમ્બર માં ઈશા અંબાણીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં સીડર સેનાઈ ખાતે જોડિયા બાળકો કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો અને આ જોડિયા બાળકોના આગમન પછી ઈશા પહેલીવાર ઘરે આવી છે. આ સાથે જ અંબાણી પરિવારનો દરેક સભ્ય એનએ ખાસ કરીને મુકેશ અંબાણી તેમના પૌત્ર-પૌત્રીઓને મળવા આતુર હતા. ઈશા અને તેના બાળકો માટે ભારતના વિવિધ મંદિરોમાંથી ઘણા પંડિતોને બોલાવવામાં આવ્યા છે અને ઈશા અંબાણીના વર્લીવાળ ઘરમાં બાળકો માટે ભવ્ય પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

અંબાણી પરિવાર દાન કરશે આટલા કિલો સોનું?
આ બધા વચ્ચે ચર્ચા એવી પણ સંભળાઇ રહી છે કે અંબાણી પરિવાર ઈશાના બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યું છે. જો કે આ વિશે હજુ કોઈ સતાવાર નિવેદન બહાર આવ્યું નથી. જણાવી દઈએ કે ઈશા અંબાણી અને તેના બાળકો માટે થતી આ પૂજાના ભોજનનું મેનુ પણ ઘણું મોટું અને નવીન છે. પૂજામાં રસોઇ બનાવવા માટે વિશ્વભરમાંથી વિવિધ કેટરર્સને બોલાવવામાં આવ્યા છે અને એ સાથે જ અંબાણી પરિવાર તેમના ઘરના ભવ્ય સમારોહમાં ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોએથી વિશેષ પ્રસાદ પણ પીરસશે.

જણાવી દઈએ કે ઈશા અને તેના બાળકો કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યા છે અને આ ફ્લાઈટ કતારના નેતાએ જ મોકલી હતી જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી અને આ તમામ ડોકટરોની ટીમ એમની દેખરેખ હેઠળ ઈશા અને બાળકોને મુંબઈ લઈ આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ