દિગ્ગજ પંજાબી અભિનેત્રી દલજીત કૌરે 69 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. તેમને પૉલીવુડ એટલેકે પંજાબી સિનેમાની હેમામાલિની કહેવામાં આવતી હતી. સિંગર મીકા સિંહે દલજીત કૌરના નિધન પર દુ:ખ દર્શાવ્યું છે. દલજીતે ઘણી પંજાબી ફિલ્મમાં ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો.
પંજાબી અભિનેત્રી દલજીત કૌરનુ નિધન
દલજીતના નિધનથી તેમના પ્રશંસકો શોકમાં છે. ઘણી સુપર ડુપર ફિલ્મો આપનારી દલજીતનુ પંજાબી સિનેમામાં મહત્વનુ યોગદાન રહ્યું છે. દલજીતનુ નિધન 17 નવેમ્બરે લુધિયાણામાં તેમના પિતરાઈના ઘરે થયુ છે. અભિનેત્રીના પિતરાઈ હરિન્દર સિંહ ખંગુરા મુજબ, 69 વર્ષની દલજીત છેલ્લાં 3 વર્ષોથી બ્રેન ટ્યુમર સામે જંગ લડી રહી હતી. છેલ્લાં 1 વર્ષથી દલજીત ડીપ કોમામાં હતી. અભિનેત્રીના અંતિમ સંસ્કાર શુક્રવારે કરાશે. દલજીત કૌર પંજાબી સિનેમાની શાન હતી. તેમની હિટ ફિલ્મોમાં મામલો ગડબડ છે. પટોલા, સઈદા, જોગન, સરપંચ, સૈદા જોગન, કી બનૂ દુનિયા દા, પુત જટ્ટાં વગેરે સામેલ છે.
સિંગર મીકા સિંહે દલજીત કૌરના નિધન પર દુ:ખ દર્શાવ્યું
સિંગર મીકા સિંહે દલજીત કૌરના નિધન પર દુ:ખ દર્શાવ્યું છે. મીકાએ ટ્વિટ કરી લખ્યું, એક સુંદર અભિનેત્રી, પંજાબની લેજેન્ડ દલજીત કૌર હવે આપણી વચ્ચે રહીં નથી. તેમની આત્માને શાંતિ મળે.
The beautiful Actress, Legend of Punjab #Daljeetkaur has sadly left us with her beautiful memories. May god bless her soul and she rest in eternal peace. 🙏🏼 pic.twitter.com/ZgOkv2rV3Z
દલજીત કૌરે દિલ્હીના લેડી શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દી વર્ષ 1976માં ફિલ્મ દાજથી શરૂ કરી હતી. ઘણી પંજાબી ફિલ્મમાં દલજીતે ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. દલજીતે તેના પતિ હરમિંદર સિંહ દેઓલના રોડ અકસ્માત બાદ ફિલ્મોમાંથી બ્રેક લઇ લીધો હતો. વર્ષ 2001માં દલજીતે ફિલ્મી દુનિયામાં કમબેક કર્યુ હતુ. ફિલ્મ સિંહ વર્સેજ કૌરમાં દલજીતે ગિપ્પી ગ્રેવાલની માંનો રોલ નિભાવ્યો હતો.