મમતા દીદી પણ ગુજરાતમાં એન્ટ્રી કરવાનુ સપનુ સેવી રહ્યા છે. તેને લઈને તેમણે સંબોધન તો કર્યું પણ સાંભળનાર કોઈ ન હતું.
ગુજરાતમાં મમતાદીદીના TMCનો ફિયાસ્કો
મમતા બેનરજીને સાંભળવા કોઈ ન ફરક્યું
ગુજરાતમાં TMC માટે પ્રથમ ગ્રાસે મક્ષીકા
મોદીના ગઢમાં મમતાની હાર
ગુજરાતના રાજકીય અટકળ કરનારાઓની મમતા બેનરજીની પાર્ટી TMC પર ખાસ નજર હતી કારણ કે મમતા દીદી આજે બંગાળથી મોદીના ગઢમાં ત્રાડ પાડવાના હતાં. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે મમતા દીદી પણ ગુજરાતમાં એન્ટ્રી કરવાનુ સપનુ સેવી રહ્યા છે. તેને લઈને તેમણે સંબોધન તો કર્યું પણ સાંભળનાર કોઈ ન હતું.
TMCના કાર્યક્રમનો ફિયાસ્કો
મોદીના ગઢમાં ગાબડા પાડવાની ઘોષણા તો મમતા દીદીએ ખૂબ જોરશોરથી કરી પણ મોદીના ગઢમાં તેને કોઈ હોંકારો દેનાર કે સાંભળનાર પણ ન મળ્યું. ગુજરાતમાં પગ કરવાના સપના સેવી અને મમતા દીદીએ સ્ક્રીન પર ભાષણ શરૂ કર્યું ત્યારે તેને સાંભળવામાં મીડિયા રિપોર્ટરો સિવાય કોઈ હતું નહીં. મોદીના મતદારોને પોતાના તરફ આકર્ષવાના પહેલાં પ્રયોગમાં મમતા બેનરજીને નિષ્ફળતા મળી છે તેમના ગુજરાત સર કરવાના અભિયાનનો ફિયાસ્કો થયો છે.
મમતા બેનર્જીનું હતું વર્ચ્યુઅલ સંબોધન, ગણ્યાગાંઠ્યા લોકો જ આવ્યા
21 જુલાઈનો દિવસ TMC શહીદ દિવસ મનાવી છે અને આ જ દિવસ તેમણે ગુજરાતના લોકોનુ દિલ જીતવા માટે પ્રયોગ કર્યો હતો. મમતા બેનર્જી બુધવારે વર્ચ્યુઅલી સંબોધનનું કરે તે પહેલાં શહેરમાં મસમોટા જાહેરાતના બોર્ડ પણ લગાવાયા હતાં. પરંતુ આ TMCનો ગુજરાતમાં કરેલો આ ખર્ચો અને અભિયાન પર પાણી ફરી વળ્યું છે કારણ કે જ્યારે મમતા બેનરજી બંગાળની ધરતી પર ગુજરાતના લોકોને સંબોધવા ઊભા થયા ત્યારે ગુજરાતની ધરતી પર ટીવી સ્ક્રીન પર તેને સાંભળવા ગણ્યા ગાઠ્યા લોકો ઉપસ્થિત રહેતાં કાર્યક્રમનો રીતસરનો ફિયાસ્કો થયો હતો.
2024 માટે દીદી જોઈ રહ્યા છે સપના?
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે મમતા દીદી પણ ગુજરાતમાં એન્ટ્રી કરવાનુ સપનુ સેવી રહ્યા છે. પહેલાં અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM બાદમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી અને હવે TMCને ગુજરાતમાં પગ જમાવવા છે.
PKએ દીદીને આપી છે રણનીતિ?
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મળ્યાં બાદ મમતા બેનર્જીને રાષ્ટ્રીય રાજકારણમાં લઈ જવાનું પ્રશાંત કિશોરે સપનું દેખાડ્યું છે. PKની સલાહથી જ મમતા દીદી કોરોનાકાળમાં જાયન્ટ સ્ક્રીનની મદદથી પોતાનું કદ વધારી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં તો તેમને પહેલે ઘાએ જ નિષ્ફળતા સાંપડી છે. કહેવાય છે હંમેશા પહેલાં ઘા જ એવો હોવો જોઈએ કે તમારી નોંધ લેવાય. પરંતુ મમતા દીદીને જોવા કે સાંભળવા કોઈ સહેજ પણ તસ્દી લીધી નહીં ત્યારે હવે એ જોવાનું રહ્યું કે મમતા દીદી ફરી મોદીના ગઢ પર નજર નાંખે છે કે પછી મોઢું ફેરવી લેશે.