વાત હોય સમૂળા ઊખેડી ફેંકતા વાવાઝોડાની કે વાત હોય ભીષણ પૂરની કે સર્જાઈ હોય ક્યાંક આગ હોનારત આ દરેક ભયાવહ મંજરમાં જો કોઈની બચાવ માટેની પ્રથમ પહેલ હોય તો તે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ. ગુજરાતમાં વાયુ વાવાઝોડાનાં આગમનની ફેલાયેલી દહેશત વચ્ચે એનડીઆરએફે ભારે સતર્કતા દાખવી હતી. ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની આાગાહી બાદ તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે વાવાઝોડા સામે લડવા સજ્જ થઈ ગયું હતું.
કોઈ કુદરતી આપત્તિગ્રસ્ત સ્થળ પાસે જો કોઈ જીવનની આશાનો રંગ હોય તો તે છે કેસરિયો રંગ. અહીં આપણે વાત કરી રહ્યાં છીએ સંકટમોચક એનડીઆરએફની. કુદરતી આપત્તિ વખતે કેસરિયા રંગનાં પોશાકથી સજ્જ આ જવાનો પોતાનાં જીવન દાવ પર લગાવીને અસરગ્રસ્તોનો જીવ બચાવતા હોય છે. એટલું જ નહીં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જવાબદારી પણ પણ તેઓ જ નિભાવતા હોય છે. ત્યારે લોકોનાં જાનમાલની રક્ષા કરતા આ એનડીઆરફે ઓપરેશન વાયુ પાર પાડવા કેવી કરી હતી કવાયત તે જોઈએ આ અહેવાલમાં.
વાત હોય સમૂળા ઊખેડી ફેંકતા વાવાઝોડાની કે વાત હોય ભીષણ પૂરની કે સર્જાઈ હોય ક્યાંક આગ હોનારત આ દરેક ભયાવહ મંજરમાં જો કોઈની બચાવ માટેની પ્રથમ પહેલ હોય તો તે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ. ગુજરાતમાં વાયુ વાવાઝોડાનાં આગમનની ફેલાયેલી દહેશત વચ્ચે એનડીઆરએફે ભારે સતર્કતા દાખવી હતી. ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની આાગાહી બાદ તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે વાવાઝોડા સામે લડવા સજ્જ થઈ ગયું હતું.
NDRF, SRP, BSG, SDRF, આર્મી અને પોલીસ સતત 100 કલાક કરતાં વધારે સમયથી ખડેપગે છે. જો કે, હવે ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પણ અસર યથાવત છે. ભલે ખતરો ટળ્યો હોય પણ અહીં એનડીઆરફનાં જવાનો ગમે તેવી પરિસ્થિતિ સામે લડી લેવા માટે તૈયાર છે. રાજ્યમાં સતત ત્રણ દિવસથી અનડીઆરફનાં જવાનો ખડેપગે છે. કેટલાંક વિસ્તારમાં હજુ પણ વાયુની અસર યથાવત છે. હજુ પણ દરિયાઈકાંઠા વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે રાહત અને બચાવ ટીમ મક્કમ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે. દેશનાં જવાનો આવી કપરી સ્થિતિમાં આપણી પડખે રહ્યાં તે માટે જવાનોને સલામ કરવાનું મન થઈ આવે છે.
તો આ એનડીઆરએફની રચના કઈ રીતે થઈ હશે તે સવાલ આપના મનમાં ઉઠતો હશે. તમને જણાવી દઈએ કે, વર્ષ-2016માં એનડીઆરએફની સ્થાપના કરવામાં આવી હતી. તેની કુલ 12 બટાલિયન છે. પ્રત્યેક બટાલિયનમાં 1449 જવાનો હોય છે. જે કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવભૂલથી સર્જાતી આફતમાં બચાવ-રાહત કાર્ય માટે સક્ષમ હોય છે. આ બટાલિયનોને દેશનાં મહત્વના વ્યૂહાત્મક સ્થળે તહેનાત કરવામાં આવ્યાં હોય છે. એનડીઆર એફની બટાલિયન દેશમાં અલગ-અલગ 9 જગ્યાએ તહેનાત રાખવામાં આવે છે. આ એવા સ્થળ હોય છે કે જેની આસપાસ કુદરતી આપત્તિ સર્જાવાની વધારે શક્યતા હોય છે.
એનડીઆરએફે પોતાની સ્થાપના બાદ કુદરતી આફતમાં ઘેરાયેલા સાડા પાંચ લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં મદદ કરી છે. એનડીઆરએફ આજે આધુનિક યુગની દરેક પ્રયુક્તિઓ અને ટેક્નોલોજી સાથે બચાવકાર્ય કરવામાં સક્ષમ છે. એનડીઆરએફ દેશનું એક એવું સૈન્ય બની ગયું છે જે રાસાયણિક અને આણ્વિક આફતો સામે કામ પાર પાડવા તેમજ દરેક પડકારો ઝાલવામાં સજ્જ છે.
ઓરિસ્સામાં આવેલા ફેની વાવાઝોડામાં એનડીઆરએફની કામગીરી ખૂબ જ પ્રસંશનીય રહી હતી. એનડીઆરએફે ટેક્નોલોજીનાં ઉપયોગથી અને પોતાની આવડતથી અનેક લોકોનાં જીવ બચાવ્યા હતાં. એનડીઆરએફ જીરો કેઝષ્યુલિટીની નેમ સાથે કામ કરી રહ્યું છે. જો કે રાહત તેનાં માટે કોઈ નવી વાત નથી. પરંતુ અસરકારક રીતે 100 ટકા બચાવ કામગીરી એ તેનો ઉદ્દેશ્ય બન્યો છે.
કોઈ પણ આફત સ્થળે માત્ર 30 મિનિટમાં રવાના થઈ જવાની તે ક્ષમતા ધરાવે છે. આ સૈન્યદળ ડ્રોન અને યુએવી જેવી ટેક્નોલોજીની મદદ લઈ રહ્યું છે પરંતુ હવે તેને સોશિયલ મીડિયાનો પણ સાથ મળી રહ્યો છે. ટેક્નોલોજીથી સજ્જ થયેલું આ દળ દેશની મોટી આશા બની ગયું છે.