ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડુ ગુજરાત આવતા પહેલા દરિયામાંથી ઓમાન તરફ ફંટાયું હતું. જો કે હાલમાં દરિયાની અંદર નબળુ પડી ગયા બાદ આજરોજ સાંજે કચ્છ પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જો કે વાયુ વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું જોવા મળ્યું છે.
જો કે સૌરાષ્ટ્રના દ્વારકામાં વાયુ વાવાઝોડાની આડ અસર જોવા મળી રહી છે. જેમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખૂટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મુખ્યત્વે દૂધ, લોટ, રાશન સહિતની સામગ્રી ખૂટી જતાં લોકોને જીવના જોખમે દરિયામાં મુસાફરી કરી ખરીદવામાં જવી પડી રહી છે.
વાયુ વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ હવે દ્વારકામાં જોવા મળી છે. વાયુ વાવાઝોડાના કારણે દ્વારકામાં રોજગાર અને વેપાર ધંધા બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે, દૂધ, રાશન, લોટ વગેરે જેવી ચીજવસ્તુઓ લેવા માટે દરિયામાં મુસાફરી કરીને જીવનું જોખમ ખેડી રહ્યા છે.
ચારે તરફ દરિયાથી ઘેરાયેલા બેટ દ્વારકામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખૂટી પડતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. 12 હજારની વસતી ધરાવતુ દ્વારકા ધાર્મિક આસ્થાનુ્ કેન્દ્ર છે. ભગવાન દ્વારકાધીશ અને હનુમાનજીના મંદિરે જવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો પડે છે.
વાયુ વાવાઝોડા બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સતત ચાર દિવસથી વાયુ વાવાઝોડાના ખતરા સામે લોકો જીવી રહ્યા છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લેવા માટે તેઓને જીવના જોખમે દરિયાઈ મુસાફરી કરવી પડે છે. બોટ દ્વારા હાલ લોકો ઓખાથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મંગાવી રહ્યા છે. ત્યારે સ્થાનિકોનુ કહેવું છે કે સરકાર અહીં ક્યારે મદદ પહોંચાડે તે જોવાનું રહ્યું.