ઘણીવાર એવુ બનતું હોય છે કે આવક કરતા ખર્ચ વધારે હોય. આ સમસ્યા દરેક પરિવારે અનેક વખત અનુભવી હશે કે અનુભવતા હશે. પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે તે બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આવક કરતા ખર્ચ ઘટાડી શકાય છે.
ઘણીવાર એવુ પણ બને છે કે માણસ અથાગ મહેનત કરે તેમ છતાં તેમછતાં એવુ બને કે તેનો ખર્ચ જ એટલો હોય કે તે બચત જ ના કરી શકતો હોય. આ સમસ્યાને નિવારવા માટે આપણાં જ્યાતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો સુચવવામાં આવ્યા છે. આ ઉપાયો અપનાવવાથી તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે છે.
- લાલમાટીના કોઇ પાત્રમાં સાના-ચાંદીના થોડા સિક્કા મુકીને તેમાં ચોખા અથવા ઘઉં ભરી દેવું અને તેના પર લાલ કપડું બાંધી ઘરની ઉત્તર-પશ્ચીમ દિશામાં રાખવાથી ફાયદો થશે.
- ધન રાખવાના સ્થળે લાલ કપડું રાખીને તેના પર ચણોઠી રાખવાથી ધનવ્યય થતો અટકશે.
- કાળી હળદરને એક દિવસ સૂર્ય પ્રકાશમાં રાખી અને બીજા દિવસે તેના પર સિંદૂર અને એક સિક્કો રાખી લાલ કપડાંમાં આ સામગ્રીઓ બાંધી તેને તિજોરીમાં રાખી દેવું. ધનમાં વૃદ્ધિ થવા લાગશે.
- ઘરમાં જો કોઈ લાંબા સમયથી બીમાર રહેતું હોય તો શુક્રવારે રાત્રે એક મુઠ્ઠી કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ પલાળેલા ચણાને કાળા કપડાંમાં રાખી તેમાં એક ખીલ્લી કોલસો રાખી તેની પોટલી બાંધી બીમાર વ્યક્તિ પરથી સાતવાર ઉતારી અને કુંવામાં ફેંકી દેવી.
- પાંચ ખીલેલા લાલ ગુલાબ લેવા તેને દોઢ મીટરના સફેદ કપડાંમાં રાખી અને 21 વખત ગાયત્રી મંત્ર બોલવો અને આ કપડાં અને ગુલાબને વહેતા પાણીમાં વહાવી દો. કરજમાંથી મુક્તિ મળશે.
- મનોકામના પૂર્તિ માટે 11 મંગળવાર સુધી 11 ગુલાબ હનુમાનજીને ચડાવવા.