મીઠાનો પ્રયોગ માત્ર ખાવા-પીવામાં જ તમે કર્યો હશે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે વાસ્તુ અનુસાર મીઠાનો ઉપયોગ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા કરવામાં આવે છે. સાથે જ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.
વાસ્તુ પ્રમાણે જાણો મીઠાના ઉપયોગ
મીઠાથી થઇ જશો માલામાલ
જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત
પાણીમાં મીઠુ નાંખીને નાહવું
જો તમારા પરિવારના કોઇ સદસ્યને નજર લાગી ગઇ છે તો એક ચપટી મીઠુ લઇને તે વ્યક્તિ ઉપરથી નજર વાળીને નાંખી દો. તેનાથી નજર દોષ નહી રહે અને જો તમે તણાવ મહેસૂસ કરી રહ્યાં છો તો મીઠાવાળા પાણીથી ન્હાવાનું રાખો, જેનાથી તમારો તણાવ ઓછો થઇ જશે.
રોક સોલ્ટનો કમાલ
તમારા બાથરૂમમાં એક કાચની બોટલમાં રોક સોલ્ટ ભરીને રાખો, આવું કરવાથી ઘરની નેગેટીવ એનર્જી ખત્મ થઇ જશે. જો તમે ખૂબ તણાવ ફીલ કરી રહ્યાં છો તો રાત્રે હાથ પગ ધોવાના પાણીમાં થોડુ મીઠુ નાંખી દો અને હાથ પગ ધોઇ લો જેનાથી તમારો તણાવ દૂર થશે અને ઉંઘ પણ સારી આવશે.
મીઠુ રાખતી સમયે ધ્યાન રાખો
જે પાત્રમાં મીઠુ રાખો છો તે પાત્રનું વાસ્તુ અનુસાર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સાથે જ તે ધ્યાન રાખો કે મીઠુ જમીન પર ન પડે. ધ્યાન રાખો, વિજ્ઞાન અને વાસ્તુ બંને કહે છે કે સ્ટીલ અને લોખંડના વાસણમાં ક્યારેય મીઠુ ન રાખો.
ઘરમાં કોઇ બિમાર છે તો ઉપયોગ કરો મીઠુ
જો તમારા ઘરમાં લાંબા સમયથી કઇ બિમાર છે તો તેની પાસે એક કાચની બોટલમાં મીઠુ ભરીને રાખી દો, તેનાથી ખૂબ રાહત મળશે. તે સિવાય ઉપવાસમાં ઉપયોગમાં લેવામાં આવતા સિંધવ મીછાનો એક ટૂકડો બિમાર વ્યક્તિ પરથી 7 વાર વાળીને ફેંકી દેવાથી થશે રાહત.