વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે સૂકા ફૂલો વિશે વાત કરીશુ. ઘરમાં રાખેલા સુકા ફૂલ કોઈ લાશની જેવા હોય છે. જેમ ઘરમાં મૃતદેહ રાખવામાં આવતો નથી તેવીરીતે સૂકા ફૂલ પણ ના રાખવા જોઈએ.
દેવ-દેવી ઉપરથી ઉતારી લીધેલા ફૂલો ઘરમાં ના રાખવા જોઈએ
આવા સૂકા ફૂલો લાશ સમાન ગણાય છે
આવા સૂકા ફૂલો ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ વધે છે
હંમેશા તાજા ફૂલોનો ઉપયોગ કરવો
સુપ્રસિદ્ધ તંત્ર ગ્રંથ મંત્ર મહારણવમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનને ચઢાવેલા બધા ફૂલો તાત્કાલિક કામ વગરના થઇ જાય છે. કામ વગરના ફૂલોને તાત્કાલિક હટાવી દેવા જોઈએ. નહીંતર તેના ભોગ માટે ચણ્ડાલી, ચણ્ડાંશુ અને વિશ્વકસેન જેવી નકારાત્મક શક્તિઓને આવવાની વાત કહેવામાં આવી છે. પ્રકારંતરથી ત્યાં પણ સૂકા ફૂલોને પ્રતિબંધિત ગણવામાં આવ્યાં છે. આજકાલ સૂકા થયેલા પોટ પોરીના ફૂલોની ફેશન છે. તમે નકલી ફૂલ લગાવી લો તે સારું છે. પરંતુ પોટ પોરીના ફૂલ ઝેર સમાન છે. તેથી હંમેશા તાજા ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ.