મહા સુદ પાંચમે વસંત પંચમી ઊજવવામાં આવે છે. વસંત પંચમી પર્વ વિદ્યારંભ કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસનું વિવાહ માટે વણજોઈતું મુહૂર્ત હોય છે.
૮ માર્ચના રોજ હોળાષ્ટક પૂર્ણ થશે
૧૪ માર્ચથી સૂર્યના મીન રાશિમાં પ્રવેશ
વસંતપંચમીના દિવસે શહેરમાં 4000 લગ્ન
મહા સુદ પાંચમે વસંત પંચમી ઊજવવામાં આવે છે. વસંત પંચમી પર્વ વિદ્યારંભ કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસનું વિવાહ માટે વણજોઈતું મુહૂર્ત હોય છે. સાથે સાથે વિદ્યાનાં અધિષ્ઠાત્રાં દેવી મા સરસ્વતીનો જન્મોત્સવ પણ છે. પ્રથમ મુહૂર્ત ૧૭ જાન્યુઆરી ૨૧ બાદ હવે સૌથી વધુ લગ્ન પ્રસંગ આવતી કાલથી આ માસમાં યોજાયા છે. લગ્નોની મોસમ પુરજોશમાં શરૂ થઇ છે. કોરોનાના કારણે ૧૧ મહિનાથી અટવાયેલાં લગ્ન પ્રસંગોની હવે ભરમાર છે. ઓછા મુહૂર્તનાં બુમરાણ વચ્ચે વસંતપંચમી તથા આવતી કાલથી આ માસમાં શહેરમાં સૌથી વધુ લગ્નનું આયોજન થયું છે.
૧૪ માર્ચથી સૂર્યના મીન રાશિમાં પ્રવેશ
આગામી ૧૪ માર્ચથી સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે મીનારકનો પ્રારંભ થતાં ૧૩ એપ્રિલ સુધી લગ્નનાં મુહૂર્ત નથી. આ વર્ષે લગ્નનાં મુહૂર્ત ઓછાં હોવાથી સૌથી વધારે લગ્નો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થશે. ચાલુ વર્ષે ૧૭ જાન્યુઆરીએ લગ્નોનાં મુહૂર્તનો પ્રારંભ થયો છે. આ માસમાં લગ્નનું છેલ્લું મુહૂર્ત ૨૭મીએ છે. ત્યારબાદ ૨૯ ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ થતાં લગ્નનાં મુહૂર્ત નથી.
આખો મહિનો લગ્નનાં મુહૂર્ત નથી
૮ માર્ચના રોજ હોળાષ્ટક પૂર્ણ થશે ત્યારબાદ લગ્નનાં મુહૂર્ત ફકત બે દિવસ જ છે. ત્યાર બાદ ૧૪ માર્ચથી ૧૩ અપ્રિલ સુધી મીનારક છે તે પૂર્ણ થતાં ત્રણ જ દિવસ લગ્નનાં મુહૂર્ત છે. માર્ચમાં ૨ દિવસ, એપ્રિલમાં ૩ દિવસ, જુનમાં ૪ દિવસ જ્યારે મે મહિનામાં તો લગ્નનાં મૂહુર્ત જ નથી બીજી મેથી ગુરુનો અસ્ત થાય છે અને ફરી ઉદય ૨૯મીએ થશે. એ જોતાં આખો મહિનો લગ્નનાં મુહૂર્ત નથી.
વસંતપંચમીના દિવસે શહેરમાં 4000 લગ્ન
શાસ્ત્રોમાં વસંતપંચમીનાં મુહૂર્તને લગ્ન જેવાં શુભ કાર્યો માટે ઉત્તમ મનાયું હોવાથી લગ્નોત્સુકો વધુ વિચાર કર્યા વગર આ દિવસે લગ્ન કરે છે. આ દિવસે શહેરમાં લગભગ ૪ હજારથી વધારે લગ્નો થશે. મંડપ-ડેકોરેશનના ઓર્ડર ફેબ્રુઆરી સુધીના બુક છે આ વર્ષે લગ્નની સિઝન ટૂંકી છે. મુહૂર્તો ઓછાં હોવાથી આ માસનું બુકિંગ ફુલ થઈ ગયું છે.