બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Varun Gandhi writes to PM Modi; demands compensation for farmers, action on Lakhimpur Kheri violence
Hiralal
Last Updated: 04:20 PM, 20 November 2021
ખેડૂતોના હમસફર બનેલા ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ વરુણ ગાંધીએ ફરી વાર પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને એમએસપી પર કાયદો બનાવવાની માગ કરી છે. વરુણ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે મારી નમ્ર વિનંતી છે કે હવે MSP પર પણ કાયદો બનાવવો જોઈએ તથા બીજા મુદ્દા પણ તત્કાળ નિર્ણય થવો જોઈએ, જેનાથી ખેડૂત ભાઈ આંદોલન ખતમ કરીને સન્માન સાથે પોતપોતાના ઘેર જઈ શકે. પત્રમાં વરુણ ગાંધીએ એવું પણ લખ્યું કે લખીમપુર ખીરી ઘટના લોકશાહી પર કલંક સમાન છે. આ કેસના આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ સાથે સરકારે રાષ્ટ્રહિતમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાનૂની ગેરન્ટી આપવાની ખેડૂતોની માગ પણ સ્વીકારવી જોઈએ. આ આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છે તેમના પરિવારજનોને એક-એક કરોડનું વળતર આપવું જોઈએ.
1 કરોડ વળતર ચૂકવવામાં આવે
વરુણે લખ્યું કે આંદોલન દરમિયાન 700થી વધુ ખેડૂતો 'શહીદ' થયા છે અને આ નિર્ણય અગાઉથી લેવો જોઈતો હતો. તેમણે લખ્યું હતું કે, 'હું તમને વિનંતી કરું છું કે આંદોલન દરમિયાન શહીદ થયેલા અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે દરેકને એક-એક કરોડ રૂપિયાનું વળતર જાહેર કરો.' તેમણે ખેડૂતો સામે નોંધાયેલી 'ખોટી' એફઆઈઆર ને નકારી કાઢવાની પણ માંગ કરી હતી.
લખીમપુર ખીરી કાંડના આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ-વરુણ ગાંધી
લખીમપુર ખીરી કેસનો ઉલ્લેખ કરતાં ભાજપના સાંસદે પીએમ મોદીને લખેલા પત્રમાં આશિષ મિશ્રાના પિતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેન્દ્રીય પ્રધાનના પુત્રની કારે ઓક્ટોબરમાં લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને કારથી કચડી નાખ્યાં હતા જેના પગલે આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર ખેડૂતો, એક પત્રકાર, ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઇવરના નામ સામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news