7 ઓક્ટોબરથી શરુ થઈ રહેલી નવરાત્રી પહેલા માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રાઓ માટે પ્રશાસન દ્વારા કેટલાક નવા નિયમો બનાવાયા છે.
માતા વૈષ્ણોદેવીની તીર્થયાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે નવા નિયમો
વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની નવી ગાઈડલાઈન
શ્રદ્ધાળુઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા એક નવી ગાઈડલાઈન જારી કરી દેવાઈ છે જેનું શ્રદ્ધાળુઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
પ્રશાસન દ્વારા આ નિયમો બનાવાયા
(1) ફક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર તીર્થયાત્રીઓને મંજૂરી મળશે.
(2) તીર્થયાત્રીઓએ તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.
(3) સંપૂર્ણ રીતે સ્વસ્થ યાત્રીઓને જ તીર્થયાત્રાની પરમિશન મળશે.
(4) ફેસ માસ્ક અને ફેસ કવરનો ઉપયોગ ફરજિયાત
(5) જમ્મુ કાશ્મીર બહારના રાજ્યોના લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
(6) રેડ ઝોન અંતર્ગત આવનાર તીર્થયાત્રીઓએ પણ કોરોનાની તપાસ કરાવવી પડશે.
(7) ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા તીર્થયાત્રીઓએ સાબુથી હાથપગ ધોઈ લેવા પડશે.
(8) તીર્થયાત્રીઓે છ ફૂટના અંતરનું પાલન કરવું પડશે.
(9) તીર્થયાત્રીઓ કોઈ પણ પ્રકારની મૂર્તિઓને નહીં સ્પર્શી શકે.
(10) 60 વર્ષથી વધુ વયના લોકોને યાત્રાની પરમિશન નહીં.