અવારનવાર સ્વામિનારાયણના સાધુઓ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરી એકવાર એક વિવાદ સામે આવ્યો છે જેમાં ગુરૂ દ્વારા જ શિષ્યનું શોષણ કરવામાં આવ્યું હોવાના આરોપ લાગ્યા છે. ત્યારે VTV દ્વારા આ મામલે ફરિયાદી શિષ્ય સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
વડતાલ મંદિરને લઈ ફરી એક વિવાદ
ઘનશ્યામ શાસ્ત્રી સામે ફરિયાદ
શિષ્ય વેદાંતવલ્લભ દ્વારા ફરિયાદ
શિષ્ય સાથે ઘનશ્યામ શાસ્ત્રીએ આચર્યું હતું દુષ્કર્મ
વડતાલ મંદિરને લઇ ફરી એક વિવાદ ઉભો થયો છે. ઘનશ્યામ શાસ્ત્રી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. કંડારી ગુરુકુળમાં ભોગ બનેલા શિષ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. શિષ્ય વેદાંતવલ્લભ દ્વારા ફરિયાદ કરાઇ છે. શિષ્ય સાથે ઘનશ્યામ શાસ્ત્રીએ સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફરિયાદને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.
વડતાલ મંદિરને લઇ ફરી એક વિવાદ ઉભો થયો, ઘનશ્યામ શાસ્ત્રી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, કંડારી ગુરુકુળમાં ભોગ બનેલા શિષ્ય દ્વારા ફરિયાદ કરાઇ છે જે બાદ શિષ્યનું કહેવું છે કે હિપ્નોટાઈઝ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હતું #Gujarat#Vadtalpic.twitter.com/XkKQoWGBSc
લોયાધામના પ્રણેતા અને વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સ્વામી (કંડારી) એ એમના જ શિષ્ય સાધુ વેદાંતવલ્લભદાસ પર અનેકવાર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યો આચર્યા હતા તો એ બાબતે કાયદાકીય ન્યાય મળે એ હેતુથી વેદાંતવલ્લભદાસ સ્વામીએ આજરોજ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ.
વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે.
શું છે સમગ્ર મામલો?
વડતાલસ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની લીલાનો પર્દાફાસ કરતો પત્ર અને ઓડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલાને દબાવવા ધાક ધમકીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની અરજી ચકલાસી પોલીસ મથકે થઇ છે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સ્વામીના શિષ્ય સાથેના સમલૈંગિંક સંબંધને ખુલ્લા પાડતા પત્ર અને ઓડિયો ક્લીપ મામલે પોલીસ તપાસની માંગ કરનાર સંજાયાના હરિભક્તને મંદિરમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જ મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ચર્ચાને પગલે ફરીથી આ મામલો ઉછળ્યો છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો થયા છે. વેદાંતવલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવ્યા છે. વેદાંતવલ્લભ સ્વામીએ ગુરુ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો છે. કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે શિષ્યના નામે 32 પાનાનો પત્ર અને ઓડીયો વાઇરલ થયો છે. VTV આ પત્ર અને ઓડીઓ કલીપની પુષ્ટિ કરતુ નથી. આ પત્રમાં કંડારી ગુરુકુળ, કાસી,હરિદ્વાર અને વડતાલમાં વારંવાર કુકર્મ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
થોડા સમય પહેલા સ્વામીની સેક્સલીલીનો વીડિયો થયો હતો વાયરલ
વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલસ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. સ્વામીના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે.
વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે.