ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યના વડોદરા મહાપાલિકા દ્વારા કેન્ટન્ટમેન્ટ ઝોનમાં પતરા લગાવવા પાછળ અઢી કરોડનો ખર્ચ કર્યો છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થાય છે કે શું વડોદરા મહાપાલિકાને વહીવટ કરતા નથી આવડતું ? જે પતરાની બજાર કિંમત 300 રૂપિયા છે તેને 550 રૂપિયામાં ખરીદ્યા.
રાજ્યની પ્રજા એક બાજુ જ્યાં કોરોનાના સંકટ સામે લડી રહી છે. ત્યારે વહીવટી તંત્ર કટકી કરવામાં કંઇ બાકી ન રાખતું હોય તેવું સામે આવી રહ્યું છે. રાજ્યની વડોદરા મહાપાલિકા ઉપર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પતરા લગાવાની ખરીદીને લઇને આક્ષેપ લગાવામાં આવ્યો છે.
શહેરની મહાપાલિક દ્વારા કેન્ટેન્ટમેન્ટ ઝોનમાં પતરા લગાવવા પાછળ અઢી કરોડનો ખર્ચ કર્યો હોવાનું દર્શાવામાં આવ્યું છે. બજારમાં 300 રૂપિયા મળતા પતરા 550માં ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.
આમ સરવાળે એવું બન્યું કે 1.5 કરોડની કિંમતના પતરા 2.50 કરોડમાં પડ્યાં. જેમાં ઉત્તર ઝોનનું બીલ 2 કરોડનું બન્યું, જ્યારે બાકીના ઝોનમાં 16થી 25 લાખ સુધીનું બીલ બન્યું. હવે અડધાભાવે કોન્ટ્રાકટર પતરા ખરીદે તેવો કારસો રચાયો છે. કોન્ટ્રાકટરે કોરોનાકાળમાં 95 ટકા વધુ ભાવ વસૂલ્યો છે.
સળગતા સવાલ...
વડોદરા મહાપાલિકાને વહીવટ કરતા નથી આવડતું?
કોરોનાકાળમાં પણ પ્રજાને લૂંટવાનું લાયસન્સ લીધું છે?