વડોદરાના કરજણના કોલીયાદ ગામના તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ગામના ત્રણ બાળકો ગુમ થતા શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે જ બાળકોના મૃતદેહ તળાવમાંથી મળતા લોકોમાં ચકચાર જોવા મળી છે.
વડોદરાના કરજણમાં 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ
કોલીયાદ ગામના 3 બાળકો થયા હતા ગૂમ
તળાવમાંથી ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા
બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યાં ત્યારે ગામના ટોળેટોળા ભેગા થયેલા જોવા મળ્યાં. તળાવમાંથી મળેલા ત્રણેય બાળકો એક જ પરિવારના છે. પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરાના કરજણમાં 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે. કોલીયાદ ગામના 3 બાળકો ગૂમ થયા હતા. ત્યારબાદ શોધખોળ કરાતાં તેમના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યાં હતા.
જો કે એક સાથે ત્રણ બાળકો ગુમ થઇ જતાં એક સમયે પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતુર જોવા મળ્યાં છે. જો કે તળાવમાંથી ત્રણેય મૃતદેહ મળતા ચકચાર મચેલી જોવા મળી છે. ત્યારે એક જ પરિવારના ત્રણેય બાળકોના મૃત્યુથી શોકનો માહોલ છવાયો છે. પરિવાર સહિતના પંથકમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે.