વડોદરા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ગુસ્સે થઈ કર્મચારીને રજાને બદલે લાફો ઝીંકી દીધો હતો.
વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર વિવાદમાં
રજાની માંગણી કરતા ઓફિસરે માર્યો લાફો
પાર્થ બ્રહ્મભટ્ટે કર્મચારી દર્શન કોઠારીને માર્યો હતો લાફો
વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવ્યા છે...વડોદરા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કર્મચારીને લાફો માર્યો છે...કર્મચારીઓ રજાની માંગણી કરતા ગુસ્સે થયેલા ઓફિસરે લાફો માર્યો છે...કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પાર્કિંગમાં ઘટના બની હતી. 22 જુલાઇએ બનેલી ઘટના આજે સામે આવી છે.
માતાના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે રજા માંગી
અવાર નવાર સરકારી કર્મચારીઓ તેમનાથી મોટી પોસ્ટ પર બેઠેલા અધિકારીઓના ગેરવર્તનનો ભોગ બનતા હોય છે. ત્યારે વડોદરામાં તો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે હદ વટાવી છે.ભોગ બનનાર સહ કર્મચારી દર્શન કોઠારીના જણાવ્યા અનુસાર : ગત 22 જુલાઇએ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પાસે નાનો કર્મચારી દર્શન કોઠારી માતાના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે રજા માગવા ગયો હતો. ત્યારે પાર્કિગમાં પોતાના પીએ સાથે ઉભેલા CFO પાર્થ બ્રહ્મભટ્ટ રજાનું નામ સાંભળતા જ અચાનક ગુસ્સે થઈ ગયો હતો. કઈ પણ બોલ્યા વગર સહ કર્મચારીને નજીવી જરૂરી રજા બાબતે લાફો મારી દીધો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પાર્કિગમાં બનેલી ઘટનાનો ભોગ બનનાર દર્શન કોઠારીએ પોતાની સાથે રહેલા કર્મચારીને આ અયોગ્ય વર્તન અંગે વાત કરી હતી જે બાદ બીજા દિવસે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ મામલો બીચકતા જોઈ પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા માફી માગવામાં આવી હતી. અને ભોગ બનનાર કર્મચારીએ મોટું મન રાખી માફ પણ કરી દીધો હતો.
અદાવત રાખી કર્મચારીને ડીગ્રેડ કરાયા?
પોતાની નાના કર્મચારી સામે માફી માંગવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને રાસ ન આવી હતી આથી તેણે થોડા દિવસ બાદ અદાવત રાખી કર્મચારીને ફાયર સબ ઓફિસર દર્શન કોઠારી અને અનુરુદ્ધસિંહ ઝાલા, કિરણ બારીયાને ડીગ્રેડ એટલે કે જ્યાં હતા ત્યાંથી નીચેની પોસ્ટ પર મૂકી દીધા છે. તો આ કેટલું યોગ્ય કહેવાય ? શું કોઈ કર્મચારીને માતાના ઓપેરેશન માટે રજા ન મળી શકે ? શું પાર્થ બ્રહ્મભટ્ટ CFO બેસી મનફાવે તેમ નિર્ણયો લે છે? અદાવત રાખી કર્મચારીને ડીગ્રેડ કરવામાં આવ્યો ? CFOના ગેર વર્તન પર કાર્યવાહી કોણ કરશે? સહકર્મચારી સાથે આવો વ્યહાર રાખી સરમુખત્યાર શાહી કરવી કેટલી યોગ્ય છે. આવા તો ઘણા કર્મચારીઓ બદલી અને અપકર્ષના બીકે ગેરવર્તણૂક સહન કરતા હશે. પણ આવા માથા ફરેલ કર્મચારીને કડક સજા કરી દાખલો બેસાડવો જરૂરી બન્યો છે.