બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara group clash stone plating by before ganesh chaturthi 2022

કાંકરીચાળો / વડોદરામાં ફરી જૂથ અથડામણની ઘટના: શ્રીજીની સવારી દરમ્યાન બે જૂથ વચ્ચે પથ્થરમારો, તંગદિલી વચ્ચે પોલીસની કાર્યવાહી શરૂ

Dhruv

Last Updated: 09:04 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની સવારી દરમ્યાન મોડી રાત્રે જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી છે. જ્યાર બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે.

  • વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ
  • શ્રીજીની સવારી દરમ્યાન બે જૂથ વચ્ચે પથ્થરમારો
  • પોલીસ દ્વારા અસામાજીક તત્વોને શોધવાની કવાયત

વડોદરામાં એકવાર ફરી અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થમારો થયો હતો. શ્રીજીની સવારી દરમ્યાન એક જૂથે પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ પણ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.

અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત

જોકે બાદમાં આ ઘટનાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. 
ભારે તંગદિલી વચ્ચે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં આ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોના કારણે હવે તંત્ર પણ એક્શનમાં સજ્જ થઇ ગયું છે.

ગણેશજીના આગમન સમયે દરવાજા પાસે પથ્થરમારો કરાયો

મળતી માહિતી મુજબ, શહેરના પાણીગેટ વિસ્તારમાં પાણીગેટ ત્રણ રસ્તા નજીક ગણેશજીના આગમન સમયે દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. એકાએક અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો તોડફોડ કરી હતી. બાદમાં આ બનાવની જાણ થતા જ ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તુરંત આ મામલે સધન કાર્યવાહી હાથ ધરી હતી.

કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે: ક્રાઇમ DCP

આ મામલે મોડી રાતે DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'આ સંબંધમાં બેની અટકાયત કરીને હાલમાં પૂછપરછ કરાઈ રહી છે. જે-તે વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે.' ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તો અગાઉ પણ આ જ રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara police panigate vadodara vadodara group clash પથ્થરમારો પાણીગેટ વડોદરા જૂથ અથડામણ vadodara group clash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ