આવનારા દોઢ મહિનામાં દેશમાં રસીની ઉપલબ્ધતા ઘણી વધી જશે તો લોકોને સરળતાથી રસી મળશે.
અન્ય કંપનીઓને રસી ઉત્પાદનની તાત્કાલીક પરવાનગી મળશે
કૌવૈક્સીન નિર્માણમાં એપીઆઈની સમસ્યા નથી
વિદેશથી રસી ખરીદી અને વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન શરુ કરવા માટે પણ પ્રયત્નશીલ
અન્ય કંપનીઓને રસી ઉત્પાદનની તાત્કાલીક પરવાનગી મળશે
દેશમાં રસી ઉત્પાદન વધારવા માટે સરકારે સ્વદેશી રસી કોવૈક્સીનના નિર્માણની પરવાનગી અન્ય કંપનીઓને આપવા માટે તૈયાર છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ મંડાવિયાએ કહ્યુ કે અમે તેના માટે તૈયાર છીએ. રસી નિર્માતાઓની વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કોઈ દવા અથવા રસી ઉત્પાદક કંપનીની પાસે આ માટે જરુરી માળખુ અને સંસાધન છે તો તે અમારી પાસે આવે. અમે તેને તાત્કાલીક પરવાનગી આપીશું.
કૌવૈક્સીન નિર્માણમાં એપીઆઈની સમસ્યા નથી
તેમણે એક ખાસ વાતચીતમાં કહ્યુ કે કૌવૈક્સીન ભારતમાં બનેલી રસી છે. એટલા માટે નિર્માણમાં એપીઆઈની સમસ્યા નથી. એ અનુંસંધાનમાં સહયોગી કંપનીઓ જરુરિયાત અનુસાર તેની આપૂર્તિ કરવામાં સક્ષમ છે. દેશમાં 18થી વધારે ઉંમરના લોકોના રસીકરણ બાદ રસીની અછત બાદ અનેક રાજ્યો માંગ કરી ચૂક્યા છે કે કંપલ્સિવ લાયસન્સિંગના માધ્યમથી બીજી કંપનીઓને કોવૈક્સિન નિર્માણની પરવાનગી આપવામાં આવે. સરકાર વાતચીત કરી રહી છે .
વિદેશથી રસી ખરીદી અને વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન શરુ કરવા માટે પણ પ્રયત્નશીલ
તેમણે કહ્યુ કે દેશમાં રસીની અછત ઓછી કરવા અનેક સ્તર પર પ્રયત્નો થઈ રહ્યા છે. અમે વિદેશથી રસી ખરીદી અને વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન શરુ કરવા માટે પણ પ્રયત્નશીલ છીએ. ફાઈઝર તથા જોનસન એન્ડ જોનસન પાસેથી રસીની આયાત અને દેશોમાં ઉત્પાદન શરુ કરવા માટે ભારત સરકારે વાતચીત ચાલું કરી છે. ફાઈઝરે કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે. તેનો ઉકેલ થોડાક દિવસોમાં થઈ જશે. તેમણે કહ્યુ કે હકિકતમાં સમસ્યા એ છે કે વિદેશી કંપનીઓ પણ અનેક દેશોમાંથી ઓર્ડલ લઈ ચૂકી છે તથા સંપૂર્ણ ક્ષમતાની સાથે કાર્ય કરી રહી છે. તમણે કહ્યુ કે સ્પૂતનિક વીની ખરીદી માટે રુસની સાથે પહેલા જ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
વિદેશ મંત્રાલય કરી રહ્યુ છે વાતચીત
તેમણે કહ્યુ કે વિદેશ મંત્રાલય આ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યુ છે. જો આવનારા સમયમાં આની સાથે ખરીદીની સમજૂતિ થઈ જાય છે તો આને રાજ્યોને પણ ફાયદો થશે. કોર્પોરેટ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે સીધી વિદેશથી રસી ખરીદી શકશે. તેમણે કહ્યુ કે આ વિકલ્પ પર વાત ચાલી રહી છે કે અમે કેટલાક દેશો પાસેથી ઉધારી તરીકે રસી મેળવીએ અને દેશમાં જ્યારે ઉત્પાદન થાય ત્યારે પાછા આપી દઈએ.
રસીની જરુરિયાતનુ આકલન
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ કે સ્વાસ્થ્ય મંત્રાલય એ પણ વિવરણ કરી રહ્યુ છે કે દેશમાં રોજના કેટલી રસી લગાવી શકાય છે. હજું સુધી દિવસમાં 43 લાખ રસી લગાવવાનો રેકોર્ડ છે. જો કે રોજના સરેરાશ 20 લાખનો છે. આનાથી રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
દોઢ મહિનાની અંદર ખતમ થશે રસી સંકટ
તેમણે આશા વ્યક્ત કરીછે કે સરકાર અનેક સ્તર પર રસીની અછત દુર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવનારા દોઢ મહિનામાં દેશમાં રસીની ઉપલબ્ધતા ઘણી વધી જશે તો લોકોને સરળતાથી રસી મળશે.