ઈદ ઉલ અજહા મુસ્લિમોના મુખ્ય તહેવારમાંથી એક છે. આ વર્ષે કોરોના સંકટ અને શ્રાવણ મહિનાને ધ્યાને રાખતા ઉત્તરપ્રદેશની યોગી સરકારે બકરી ઈદ અને પ્રાણીઓની કુરબાની માટે ગાઇડલાઇન જાહેર કરી છે.
યોગી સરકારની બકરી ઈદને લઇને ગાઇડલાઇન
1 ઓગસ્ટે મનાવવામાં આવશે બકરી ઈદ
સામૂહિક રીતે ભીડ એકઠ ન કરવામાં આવે
યોગી સરકારે કોરોના સંક્રમણના ડરે તમામ ધાર્મિક સ્થળો માટે પણ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ નિર્દેશો અનુસાર, કોઈ પણ ધાર્મિક સ્થળમાં સામૂહિક રીતે ભીડ એકઠ ન કરવામાં આવે.
આ સિવાય યૂપીના ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં સાંપ્રદાયિક ભાવનોઓને પણ ધ્યાને રાખવા માટે કહેવામાં આવ્યું છે. પત્રમાં યુપીના તમામ જિલ્લાઓના પોલીસ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, કુરબાની દરમિયાન ગૌવંશની હત્યાથી અનેક વખત પહેલા પણ સાંપ્રદાયિક તણાવ પેદા થયો છે. એઠલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ લાઇડસ્પીકરનો ઉપયોગ કરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે જાગરૂક કરે. સોશિયલ મીડિયા પર પણ નજર બનવેલી રાખે. ભ્રામક સૂચના પ્રસારિત કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશન અધિકારી નાની નાની ઘટનાઓને ગંભીરતાથી લે.
1 ઓગસ્ટે મનાવવામાં આવશે બકરી ઈદ
સૌથી ખાસ વાત એ છે કે આ વખતે ડ્રોનના ઉપયોગ માટે પણ કહેવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, મિશ્રિત અને સંવેદનશીલ વિસ્તારની દેખરેખ માટે ડ્રોન કેમેરાનો ઉપોયગ કરવામાં આવશે. ગોહત્યા અને ગોવંશના ગેરકાયદે પરિવહન પર સંપૂર્ણ દેખરેખ માટે જરૂરિ ઉપાયો કરવામાં આવે. ખુલ્લા સ્થાનો પર કુરબાની/બીન મુસ્લિમ વિસ્તારોમાં ખુલ્લી રીતે માંસ લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે.
પત્રમાં પોલીસ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધિત પશુઓની કુરબાનીની અફવાઓથી વિસ્તારમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો. બકરી ઈદ તહેવાર 1 ઓગસ્ટે મનાવવામાં આવશે અને આ ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે. તેવામાં યુપીના ડીજીપીએ પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા માટે કહ્યું છે.