ઉત્તરાખંડ ગયેલા રાજ્યના 37 યુવાનો સંપર્કવિહોણા છે. જામનગરના 2 યુવાનો ઉતરાખંડ હોનારતમાં ફસાયા છે. અલગ અલગ ટ્રેકિંગ કેમ્પમાં સહભાગી બનેલા યુવાનો સંપર્કવિહોણા થયા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલો
ઉત્તરાખંડ ગયેલા રાજ્યના 37 યુવાનો સંપર્ક વિહોણા
ઉત્તરાખંડ હોનારતમાં ફસાયા જામનગરના 2 યુવાનો
રાજદીપ જાની નામનો યુવાન સંપર્કવિહોણો થયો છે. રાજદીપ કેમ્પ સાથે 7 તારીખે સવારે 7 વાગ્યે દહેરાદુનથી કેદારનાથ જતા હતા. યુવાનની સાથે રાજ્યના અન્ય 10 થી 12 યુવાનો પણ છે આ તમામ યુવાનો ગઈકાલથી સંપર્કવિહોણા થતાં પરિવારજનોમાં ફફડાટ વ્યાપો છે.
જય ફળિયા નામના યુવાન અન્ય ટ્રેકિંગ ટુરમાં ગયા છે ઉતરાખંડ
ગુજરાતના 25 સભ્યો કેદારનાથ ટ્રેકિંગ માટે ગયા હતા. જય ફળિયા નામના યુવાન અન્યઉતરાખંડ ટ્રેકિંગ ટુરમાં ગયા છે. જામનગરના બંને યુવાનો સહિત 37 યુવાનો હોનારતમાં ફસાયા છે.
અત્યાર સુધીમાં 170 લોકો લાપતા
રેસ્કુય ઓફરેશનમાં જોડાયેલી ITBPની ટીમ મુજબ એક સુરંગમાં અંદાજે 30 લોકો ફસાયેલા છે. 300 જવાનો ટનલ સાફ કરવામાં લાગ્યાં છે. સ્થાનિક તંત્રના જણાવ્યાં મુજબ અંદાજે 170 લોકો લાપતા છે. ગત દિવસ 12 લોકોને બચાવામાં આવ્યાં છે, આ એક બીજી ટનલ હતી.
વધી રહ્યું જળસ્તર
SDRFના જણાવ્યાં મુજબ અલકનંદનું જળસ્તર વધી રહ્યું છે. ટનલવાળા વિસ્તારમાં જ્યાં દોલી ગંગા મળે છે ત્યાં જળસ્તર વધ્યું છે. ચમોલી પોલીસના અધીક્ષક યશવંત સિંહા ચૌહાણના આદેશઅનુસાર પોલીસ દ્વારા નદીના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યાં છે.
ઋષિ્ગંગા પ્રોજેક્ટને થયું ભારે નુકસાન
આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા 13 મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. જ્યારે NTPCની તપોવનમાં 500 મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે. બન્ને પરિયોજનામાં કામ કરતા 155થી વધુ શ્રમિક અને સ્થાનિક લોકો ગુમ થયાની આશંકા છે.
10 લોકના મૃતદેહ મળ્યાં
અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સુરંગમાંથી 16 કર્મચારી સહિત 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કુદરતી હોનારતની જાણ થતાં જ ITBP, BRO, NDRF અને SDRFની ટીમને બચાવવામાં જોતરાઈ છે. નૌસેના પણ શોધખોળમાં જોતરાઈ છે.. કુદરતી હોનારતથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.