ઉત્તરાખંડમાં ભાજપના મુખ્યમંત્રી સામે પાર્ટીમાં અસંતોષ હોવાના અહેવાલ વચ્ચે સીએમ રાવત દિલ્હીમાં હાઇકમાન્ડ સામે હાજર થવાના છે.
ઉત્તરાખંડમાં રાજકારણ ગરમાયું
સીએમ સામે અસંતોષ હોવાની ચર્ચા
દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે સીએમની મુલાકાત
સીએમ દિલ્હી દોડ્યા
ભાજપ શાસિત ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં માનવામાં આવી રહ્યું છે કે સીએમની સામે અસંતોષ પાર્ટીની અંદર જ હતો જે બાદ દિલ્હીથી નેતાઑ દેહરાદૂન ગયા હતા. જોકે હવે મુખ્યમંત્રી રાવત દેહરાદૂનથી તાબડતોબ દિલ્હી આવી ગયા છે અને સીએમ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તેઑ દિલ્હીમાં ભાજપના નેતાઑ સાથે મુલાકાત કરશે.
Uttarakhand Chief Minister Trivendra Singh Rawat leaves from Dehradun for New Delhi.
"He will meet Central BJP leaders in Delhi," according to the chief minister's office.
ઉત્તરાખંડમાં રાજકીય ઘમાસાણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે. રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ તે
જીથી બદલાઈ રહી છે અને પર્યવેક્ષકો દિલ્હી પરત ગયા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે આજે ભાજપના ઉપાધ્યક્ષ રમણ સિંહ પોતાની રિપોર્ટ હાઇકમાન્ડને આપશે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની અંદર ગતિવિધિઓ તેજ થઈ છે ત્યારે ત્રિવેન્દ્ર સિંહ રાવત તાબડતોબ દિલ્હી રવાના થઈ ગયા છે. દિલ્હીના વિવિધ મીડિયા અહેવાલોમાં સૂત્રો અનુસાર 9મી માર્ચે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકે છે જેમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે.
આવતા વર્ષે છે ચૂંટણી
નોંધનીય છે કે રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને તે પહેલા રાજ્યમાં મુખ્યમંત્રી વિરોધી જૂથ તેમને બદલી દેવા માટે માંગણી કરી રહ્યા છે જેને લઈને દિલ્હીથી બે નેતાઓને પરિસ્થિતિ વિશે જાણવા માટે મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાર્ટીના સંસદીય બોર્ડે શનિવારે દહેરાદૂનમાં કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના ઉપાધ્યક્ષ રમનસિંહને મોકલવામાં આવ્યા હતા અને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં સામેલ થયેલા નેતાએ જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેને સંભાળવા માટે વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષે આપ્યું નિવેદન
જો કે, કોર કમિટીની બેઠક બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગતે ચહેરો બદલાવાની અટકળો પર વિરામ લગાવ્યો હતો. 13 ધારાસભ્યોની નારજગીના સવાલ સામે તેમણે કહ્યું હતું કે, પાર્ટીનો કોઇ જ ધારાસભ્ય નારાજ નથી. તમામ વાતો ઉપજાવવામાં આવી છે.
3 ચહેરા મુખ્યમંત્રી રેસમાં
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સતપાલ મહારાજ તથા સાંસદ અનિલ બલૂની રેસમાં છે. આ વિરોધના સૂર 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉઠ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.