ઉન્નાવમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે હોબાળો થંભવાનું નામ નથી લેતું. શનિવારે પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે કલાકો સુધી ઘર્ષણ થયું હતું. ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં અનેકને ઈજાઓ પણ પહોંચી હતી. રવિવારે ઉશ્કેરાયેલાં ખેડૂતોએ નિર્માણાધીન પાવર હાઉસને આગ ચાંપી હતી.
શનિવારે શરુ થયેલા હોબાળાએ રવિવારે ભયાનક રૂપ લીધું
1144 એકર જમીનના અધિગ્રહણ મુદ્દે ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ
બાર ખેડૂતોને પહોંચી ઈજા
ઘટના સ્થળે ભારે પોલીસ દળ
ઉન્નાવમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જમીન અધિગ્રહણ મુદ્દે ભારે હોબાળો થયો.રવિવારે આક્રોશિત ખેડૂતોએ યુપી પોલીસે નિર્માણાધીન પાવર હાઉસમાં આગ લગાવી દીધી , જે બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગયી હતી.જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ગાડીઓ તરત જ સ્થળ પર પહોંચી ગયી અને ભારે પોલીસ બળ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.
શનિવારે ખેડૂતોએ કર્યો હતો પથ્થરમારો
આપને જણાવી દઈએ કે શનિવારે જ ખેડૂતો અને પોલીસ વચ્ચે છ કલાક સુધી ભીષણ સંઘર્ષ થયો હતો. ટ્રાન્સગંગા અધિગ્રહિત 1144 એકર જમીન પર કબ્જો મેળવવા મુદ્દે ખુબ હોબાળો થયો. ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ખેડૂતોએ પોલીસ પર પથ્થરબાજી કર્યા બાદ પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કરી ભગાવ્યાં.
પોલીસે આંસુ ગેસનાં ગોળા છોડ્યાં
ઉલ્લેખનીય છે કે પાંચસોથી વધુ ખેડૂતોનાં ટોળાને દૂર કરવા માટે પાણીની ધાર અને આંસુ ગેસનાં ગોળા પણ છોડ્યાં.પથ્થરમારાંમાં એએસપી, સીઓ સિટી સહીત સાત પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. ખેડૂતોની વાત કરીએ તો નાસભાગમાં બારથી વધુ ખેડૂતો ઈજાગ્રસ્ત થયાં શનિવારે સવારે શરું થયેલો હોબાળો સાંજે પાંચ વાગે કાબૂ પર આવી હતી.