ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લવ જેહાદ પર કહ્યું કે, આ કાયદો સૌ માટે બરાબર છે. આને હિન્દુ અને મુસ્લિમ પર વહેંચવું ન જોઇએ.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લવ જેહાદ પર કહ્યું કે, કાયદા સૌ માટે બરાબર છે
યોગી આદિત્યનાથે કહ્યું કે, હિન્દુત્વ ભારતની રાષ્ટ્રીયતાનું પ્રતીક છે
યોગીએ કહ્યું કે, યોગીના રૂપમાં મારો એક જ ધર્મ છે અને તે રાષ્ટ્રધર્મ છે, હિન્દુ અમારી ઓળખ છે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, હિન્દુત્વ ભારતની રાષ્ટ્રીયતાનું પ્રતીક છે. હિન્દુ ક્યારેય પોતાની વાત કોઇના પર થોપતા નથી. સીએમ યોગીએ કહ્યું કે, યોગીના રૂપમાં મારો એક જ ધર્મ છે અને તેઓ રાષ્ટ્રધર્મ છે. હિન્દુ અમારી ઓળખ છે. સીએમ યોગીએ લવ જેહાદ પર કહ્યું કે, આ કાયદો સૌના માટે બરાબર છે. આ હિન્દુ અને મુસ્લિમ પર વહેંચવા યોગ્ય નથી.
એક ખાનગી ચેનલ સાથે વાત કરતા સીએમ યોગીએ કહ્યું કે, લવ જેહાદ કાયદા હેઠળ જો કોઈ હિન્દુ ગુનો કરે તો તેના પર પણ એજ કાયદો લાગૂ થશે, જે કોઇ મુસ્લિમના કરવા પર લાગૂ થશે.
સીએમ યોગીએ કહ્યું કે, કેરળ હાઈકોર્ટે લવ જેહાદ પર કાયદો બનાવવાને લઇને કહ્યું હતું, પરંતુ ત્યાં એવું નથી થયું. પરંતુ અમે કાયદા બનાવ્યા.
સીએમએ કર્યો મેરઠની ઘટનાનો ઉલ્લેખ
મેરઠમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ જણાવ્યું કે, અસલમ નામક એક વ્યક્તિ અમિત બનીને હિન્દુ બાળક સાથે લગ્ન કર્યા. કેટલાક વર્ષો સુધી બન્ને સાથે રહે. આ દરમિયાન બન્ને સાથે એક બાળકી જન્મી. ત્યારબાદ તે દીકરીને ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવા કહ્યું. સાથે જ તેમને જણાવ્યું કે, તેઓ મૂળ રીતે મુસ્લિમ છે. આ વાત દીકરીએ પોતાની બહેનપણીઓને જણાવી.
સીએમએ દીકરીએ બહેનપણીને લખ્યો પત્ર
સીએમએ જણાવ્યું કે, બહેનપણીએ જોયું કે ઘણા દિવસોથી પોતાની મિત્ર નથી દેખાઇ રહી. તેઓ કેટલાક દિવસો બાદ અસલમના ઘરનો દરવાજો બંધ કરીને ક્યાંક ચાલ્યો ગયો. આના પર તેમની ફ્રેન્ડે પોલીસને જણાવ્યું. પોલીસે ઘર ખુલાવીને જોયું તો કંઇ નથી મળ્યું, ત્યાર બાદ તેમની ફ્રેન્ડે મને (મુખ્યમંત્રી યોગી) પત્ર મોકલ્યો તો મેં કાર્યવાહી કરવા કહ્યું.
લવ જેહાદ કાયદાથી અટકશે ગુનો
સીએમએ જણાવ્યું કે, પોલીસે તેના ઘરમાં ફરી તપાસ કરી તો ત્યાં ચોંકાવનારી વાત સામે આવી. પોલીસે ઘરનું ખોદકામ કર્યું તો સામે આવ્યું કે ત્યાં પર દિકરી અને તેમની બાળકીનો મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી અસલમને પકડ્યો તો તેમના ગુના પણ કબૂલ કર્યા. સીએમ યોગીએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને લઇને લવ જેહાદ કાયદો લાવવામાં આવ્યો, જેનાથી આગળ મેરઠ જેવી ઘટનાને હોવાથી રોકી શકાય છે.
યૂપીના બજેટ પર કહી આ વાત
યૂપીના સાડા પાંચ લાખ કરોડ રૂપિયા બજેટ પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, હમારુ લક્ષ્ય લોક કલ્યાણમાં થવું જોઇએ. પીએમ મોદીના માર્ગદર્શનમાં સ્પષ્ટ નીતિથી કામ કર્યું છે. સીએમએ કહ્યું કે, યૂપીના બજેટ પર પહેલા લોકો હંસતા હતા અને કહેતા હતા કે ઉત્તરપ્રદેશ બીમારી રાજ્ય છે, પરંતુ હવે દેશના ટોપ રાજ્યોમાં સામેલ થઇ ગયું છે.