આગ્રાની પારસ હોસ્પિટલના માલિક અરિંજય જૈનને વાયરલ વીડિયોમાં જે પણ કંઈ બોલતાં સાંભળવામાં આવી રહ્યા છે. તે ચોંકાવનારી ઘટના છે.
આગ્રાની પારસ હોસ્પિટલની ઘટના
મોક ડ્રિલમાં 22 દર્દીઓના જીવ ગયા
વીડિયો વાયરલ થતા યોગી સરકારે આપ્યા તપાસના આદેશ
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના એક ખાનગી હોસ્પિટલમાં મોક ડ્રિલ વખતે 22 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે. તેમના વિરૂદ્ધ યોગી સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. હોસ્પિટલના માલિકની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આગ્રા પ્રશાસનનું કહેવું છે કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
5 મિનિટની મોક ડ્રિલમાં 22 દર્દીઓ જતા રહ્યા હવે ખાલી 75 જ રહ્યા છે
આગ્રાની પારસ હોસ્પિટલના માલિક અરિંજય જૈનને વાયરલ ઓડિયોમાં જે કંઈ બોલતા સાંભળવામાં આવી રહ્યા છે તે ચોંકાવારૂ છે. આ ક્લિપ 28 એપ્રિલની છે. જ્યારે અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ વધારે હતા. વાયરલ ઓડિયોમાં જૈનને એવું કહેતા સાંભળવામાં આવી રહ્યા છે કે તેમણે પોતાની હેસ્પિટલમાં ઓક્સિજન 5 મિનિટ માટે બંધ કરી એક મોક ડ્રિલ કરી હતી. તે ડ્રિલ બાદ 22 દર્દીઓનો જીવ જતો રહ્યો. ઓડિયોમાં જૈન કહી રહ્યા છે કે 5 મિનિટની મોક ડ્રિલથી 22 દર્દી ગુજરી ગયા. હોસ્પિટલમાં 74 દર્દીઓ જ રહ્યા છે.
1.5 મિનિટની ઓડિયો ક્લિપમાં અરિંજય જૈનને કહે છે કે હાલના સમયમાં સીએમ પણ ઓક્સિજન નહીં અપાવી શકે. મોદી નગર સંપૂર્ણ રીતે ડ્રાઈ છે. જૈનના જણાવ્યા અનુસાર- દર્દીઓના પરિવારની કાઉન્સલિંગ કરવામાં આવી તો અમુક લોકો તેમની વાત સાંભળવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે તે હોસ્પિટલમાંથી નહીં જાય. ત્યાર બાદ મોક ડ્રિલ શરૂ કરાવવામાં આવી. આ વાત સવારે 7 વાગ્યાની છે.
5મિનિટમાં દર્દીઓનું શરીર ફિક્કૂ પડવા લાગ્યું
હોસ્પિટલના સંચાલકનું કહેવું છે કે મોક ડ્રિલ એટલા માટે કરવામાં આવી હતી કે ગંભર દર્દીઓની ઓળખ કરી શકાય અને કોને કેટલો ઓક્સિજન જોઈશે. તેની ઓળખ થઈ શકે. તેમનું કહેવું હતું કે 5 મિનિટમાં ઘણા દર્દીઓના શરીર ફિક્કા પડી ગયા હતા. ઓડિયોમાં બીજા પણ એક વ્યક્તિનો અવાજ આવી રહ્યો છે જે જૈનની હા માં હા મિલાવી રહ્યો છે. તેના વાયરલ થયા બાદ યુપીમાં હડકંપ મચી ગયો છે. જોકે સરકાર હજુ પણ 22 દર્દીઓના મોત તે દિવસે થવાની વાતનો ઈનકાર કરી રહી છે.
જિલ્લાના ડીએમ પ્રભુ એન સિંહ પણ ઓક્સિજન બંધ થવાના કારણે 22 લોકોના મોતની વાતથી ઈનકાર કરી રહ્યા છે. ડીએમના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં 26 એપ્રિલે 4 અને 27 એપ્રિલે 3 લોકોના મોત થયા હતા. પરંતુ સરકારે વીડિયોને ગંભીરતાથી લેતા તપાસના આદેશ આપ્યા છે. તેમનું કહેવું છે કે ઓક્સિજનની કમીના કારણે પરિસ્થિતિ બગડી પરંતુ તેને 24 કલાકની અંદર દૂર કરવામાં આવ્યું હતું.
भाजपा शासन में ऑक्सीजन व मानवता दोनों की भारी कमी है।
इस ख़तरनाक अपराध के ज़िम्मेदार सभी लोगों के ख़िलाफ़ तुरंत कार्यवाही होनी चाहिए।
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સરકાર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપા શાસનમાં ઓક્સિજન અને માનવતા બન્નેની કમી છે. આ ખતરનાક અપરાધના જવાબદાર દરેક લોકો વિરૂદ્ધ તરત કાર્યવાહી થવી જોઈએ. દુખની આ ઘડીમાં મૃતકોના પરિવાર સાથે મારી સંવેદના છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર સરકારને આડે હાથ લીધી છે.
PM: “मैंने ऑक्सीजन की कमी नहीं होने दी”
CM: "ऑक्सीजन की कोई कमी नहीं। कमी की अफवाह फैलाने वालों की संपत्ति जब्त होगी।"
मंत्री: “मरीजों को जरूरत भर ऑक्सीजन दें। ज्यादा ऑक्सीजन न दें।”
आगरा अस्पताल: "ऑक्सीजन खत्म थी। 22 मरीजों की ऑक्सीजन बंद करके मॉकड्रिल की।"
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 8, 2021
હોસ્પિટલ સીલ કરવાના આદેશ
ઘટના બાદ હાલ તંત્રએ કાર્યવાહીના ભાગ રૂપે હોસ્પિટલને સીલ કરવાના આદેશ આપ્યા છે. અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા જણાવ્યું છે. સાથે જ SP સહિતના પોલીસકર્મીઓ હાલ ઘટના સ્થળ પર તપાસ કરી રહ્યા છે.