ચાંદીને ભગવાન શિવના નેત્રોમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર જ્યાં ચાંદી હોય છે ત્યાં વૈભવ અને સંપન્ના આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુક્ર અને ચંદ્ર ગ્રહથી જોડાયેલી ધાતુ છે. આ શરીરમાં પાણીનું તત્વ અને કફને નિયંત્રિત કરે છે આ ઉપરાંત સુંદરતા અને સુખ-સમૃદ્ધિ વધારવામાં પણ આ ચમ્તકારિક રૂપથી ફાયદાકારક છે.
એટલા માટે ચંદ્ર અને શુક્રના શુભ યોગ મેળવવા અને એના નિયંત્રણ માટે ચાંદીનો પ્રયોગ કરવામાં આવે છે. ટોક્સિન્સને શરીરને બહાર નિકાળવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત ચાંદી ઘરમાં સકારાત્મક ઊર્જાને વધારે છે. આગળ અમે તમને કેટલાક પ્રયોગ કહેવા જઇ રહ્યા છીએ જેમાં પાણી રાખીને ચાંદીની વીંટીનો ઉપાય તમને ચમત્કારીક ફળ આપી શકે છે.
બજારમાંથી કોઇ પણ ડિઝાઇનમાં પોતાની પસંદની ચાંદીની વીંટી લઇ આવો. કોઇ પણ ગુરુવારની રાતે એને આખી રાત પાણીમાં મૂકી રાખો. સવારે એને વિષ્ણુ ભગવાનના પગમાં મૂકો અને પૂરી વિધિ-વિધાનથી એમની પૂજા કરો.
પૂજા પૂર્ણ થઇ ગયા બાદ વીંટીને પણ ચંદન લગાવો પછી ધૂપ કરીને ચોખા ચઢાવો. પછી એને જમણા હાથની નાની આંગળી એટેલે કે કનિષ્ઠા આંગળીમાં પહેરી લો. એનાથી તમને ઘણા ફાળદો મળે છે. સૌથી પહેલા ચંદ્ર અને શુક્રથી જોડાયેલ હોવાને કારણે આ તમારી સુંદરતા વધારે છે. ચહેરાની ચમક વધારે છે અને ડાઘા પણ જતા રહે છે. આ ઉપરાંત તમારા મગજને શાંતિ આપે છે અને તમને ખૂબ જ ગુસ્સો આવે છે તો એને પણ નિયંત્રિત કરે છે.
સાથે તમને કફ અર્છરાઇટિસ સાંધાના દુખાવો અને હાડકાથી જોડાયેલી પરેશાનીઓ હોય તો એમાં પણ લાભ પહોંચાડે છે.
જે લોકોને ચાંદીની રીંગ પહેરવાની પસંદ ના હોય એ આ જ પ્રકારે પૂજા કરેલી ચાંદીની ચેન પહેરી શકે છે. આ તમને કફ અને પિત્તને નિયંત્રિત કરે છે. એનાથી તમારી વાત કરવાની ક્ષમતામાં જોરદાર વિકાસ થાય છે. જેમને બોલવાની સમસ્યા હોય છે અથવા તો અટકીને બોલે છે એમને આ ઉપાય જરૂરથી કરવો જોઇએ.
જો તમે ચાંદીની રીંગ કે ચેનનો પણ ઉપયોગ ના કરી શકો તો ચાંદીના ગ્લાસમાં પણ પાણી પીવાથી તમારી કફની સમસ્યા દૂર થઇ શકે છે.