ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા અને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે. ચાલો જાણીએ તેના વિશે.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે
આ સીઝનમાં શરીરને ઠંડક આપતી વસ્તુઓનું કરો સેવન
ગરમીમાં સ્વસ્થ રહેવા કેટલીક કાળજી રાખવી જરૂરી છે
ઉનાળામાં હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી, ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીનો અભાવ), કમળો, સન બર્ન, એસિડિટી અને અપચો, ફૂડ પોઇઝનિંગ, ટાઇફોઇડ એ સૌથી સામાન્ય રોગો છે. તેને ટાળવા માટે શરીરને ઠંડુ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં,લોકો ઉનાળાના દિવસોમાં આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, બરફવાળું પાણી અને ગોળા ખાતા હોય છે. જે શરીર માટે ભયંકર નુકસાનકારક છે. ચાલો જાણીએ શું ખાવું.
શિકંજી
લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે.વળી ઉનાળામાં તેનું સેવન શરીને આંતરિક રીતે ઠંડક પણ આવે છે. શરીરમાં પાણીની કમી થવા દેતું નથી અને બીમારીઓ સામે પણ રક્ષણ કરે છે. જેથી આ સીઝનમાં કોલ્ડ ડ્રિક્સ અને ગોળાની જગ્યાએ શિકંજી પીવાનું રાખો.
કેરીનો બાફલો
ઉનાળાની સીઝનમાં કેરીનો બાફલો અત્યંત ગુણકારી માનવામાં આવે છે કાચી કેરીમાંથી બનતો બાફળો લૂ અને હિટ સ્ટ્રોકથી બચાવે છે. તે પાચનને પણ દુરસ્ત રાખે છે.
બીલીનું શરબત
કાચી કેરીની જેમ બીલી પણ ઉનાળામાં બેસ્ટટ માનવામાં આવે છે. તે લૂથી બચાવે છે. ઉનાળાની સીઝનમાં તેનું શરબત અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ સંબંધી બીમારીઓ સામે પણ રક્ષણ કરે છે.
છાશ
છાશના તો અઢળક ફાયદાઓ છે. કોઈપણ સીઝન હોય બપોરે જમવા સાથે છાશ પીવી જ જોઈએ. તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ જાળવે છે. રોજ એક ગ્લાસ છાશ પીવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે.
તરબૂચનું જ્યૂસ
તરબૂચ ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે કારણ કે તેમાં 93 ટકા જેટલું પાણી હોય છે. તે એક એવું ફળ છે કે તમને ખાધા પછી તરસ લાગતી નથી અને શરીરમાં પાણીનો અભાવ નથી થતો. તરબૂચ શરીરને અંદરથી ઠંડુ રાખે છે. જો તમે ઇચ્છો તો તમે તેને આ રીતે ખાઈ શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ પી શકો છો.
જલજીરા
આ એક ખૂબ જ ટેસ્ટી પીણું છે, જે ગરમીમાં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. શું તમે જાણો છો આ પીણું માત્ર તરસ છિપાવવા માટે જ નહીં પરતું વજન ઓછું કરવા, પેટ ઠીક કરવા, શરીરમાં પાણીની કમી પૂરી કરવા માટે પણ કામ આવે છે. ગરમીમાં જ્યારે ટેમ્પ્રેચર વધી જાય છે ત્યારે જલજીરા જરૂર પીવું જોઈએ, કારણ કે તે શરીરની ગરમીને ઓછી કરે છે અને પાચનતંત્રને દુરસ્ત રાખે છે.