અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે ચીન વિરૂદ્ધ ટ્રેડ વોર યુદ્ધ છેડ્યું છે. અમેરિકા ફર્સ્ટ પૉલિસીને પોષિત કરવાના ક્રમમાં તેઓ ભારતને પણ છોડવાના મૂડમાં નથી દેખાઇ રહ્યું. ટ્રંપ ભારતને 'ટેરિફ કિંગ' શીર્ષક આપી ચૂક્યું છે. તેમની નજર આ આંકડાઓ પર છે કે વ્યાપારીક સંબંધોમાં ભારત 24.3 અરબ ડોલરના ટ્રેડ સરપ્લસની સાથે અમેરિકા પર ભારે પડી રહ્યું છે. પરંતુ, શું ભારત પ્રત્યે ટ્રંપની આ ટૂંકી નજર અમેરિકા માટે લાભકારી સાબિત થશે?
ભારતનો હજુ પણ બિન-જોડાણમાં વિશ્વાસ
બ્લીમબર્ગનો આર્ટિક કહે છે કે ભારતે ઉત્તર-સંસ્થાનવાદી માનસિકતાનો સમગ્ર રીતે પરિત્યાગ નથી કર્યો. તેમને પોતાની સ્વાયત્તતાનું નીતિથી સંરક્ષણ કરે છે, એટલા માટે અત્યારે પણ વૈશ્વિક પટલ પર ખુદને બિનજોડાણવાદી રાષ્ટ્રના રૂપમાં જ રજૂ કરવા માગે છે. આજ કારણ છે કે હાલના વર્ષોમાં ખુબ જ નજીકની રાજકીય ભાગીદારી બનાવવા છતા ભારતની આતૂરતા અમેરિકા સાથે ઔપચારિક ગઠબંધન કરવાની ક્યારેય નહીં હોય.
શું અમેરિકા ભારત સાથે પણ ચીન જેવું વેપાર યુદ્ધ ખેલશે?
ભારત અમેરિકા સાથે ઔપચારિક ગઠબંધન કરવા માંગતું નથી. અમેરિકાની સરકારે ભારતની અપેક્ષાઓ અને નીતિઓનો આદર કરતા કાયમ સાક્ષી ભાવ દર્શાવ્યો છે. અમેરિકાની સરકાર પણ એક પછી એક નિર્ણયો કરી રહી છે જેનાથી સંદેશ જાય કે ભારતની પ્રગતિ અમેરિકાના હિતમાં છે.
ભારતની નીતિનું સન્માન કરી રહી છે અમેરિકી સરકારો
અમેરિકી સરકારોએ ભારતની આકંક્ષાઓ, અપેક્ષાઓ અને નીતિઓનું સન્માન કરતા સહયોગની ભાવનાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે, જો અમેરિકા ભારત સાથે પણ ચીનની જેમ વેપાર યુદ્ધ છેડી નાંખે તો ચીન બાદ ભારતમાં આવવા માંગતી કંપનીઓ પર તેની દુરોગામી અસર થઈ શકે છે. આ કંપનીઓ ભારતમાં આવતાં પહેલાં ફેર વિચાર કરવા પણ મજબુર બને. ભારત અને અમેરિકા બંને માટે ઉપાય આપવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રસાશનને ભારતની નવી સરકારને થોડો સમય આપે. જ્યારે ભારતે એવા પગલા ભરવા જોઈએ જેથી અમેરિકા અને ચીનના વેપાર યુદ્ધ સમયે ભારત અંગે ટ્રમ્પ પ્રસાશનને મળેલી ખોટી સલાહનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય.