રાલોસપા (RLSP) અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ સોમવારનાં રોજ પોતાનાં પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ મોદી સરકારથી અલગ થઇ ચૂકેલ છે. આનાં કારણે બિહારમાં રાજનૈતિક સમીકરણ બદલાઇ શકે છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી પ્રમુથ છેલ્લાં કેટલાંક સપ્તાહથી ભાજપ અને તેનાં મહત્વનાં સહયોગી દળનાં નેતા બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધી રહેલ છે.
રાલોસપાને 2019ની લોકસભા ચૂંટણીમાં બેથી વધારે સીટો નહીં મળવા પર ભાજપનાં સંકેતો બાદથી રાલોસપા અધ્યક્ષ કુશવાહા નારાજ હતાં. બીજી બાજુ ભાજપ અને જેડીયૂની વચ્ચે બરાબર સીટો પર ચૂંટણી લડવાની સહમતિ બની છે. આ પહેલાં રાલોસપાનાં એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે 'કુશવાહા આજે ભાજપથી પોતાનો રસ્તો અલગ કરવાની જાહેરાત કરી શકે છે."
કહેવામાં આવી રહેલ છે કે રાલોસપા વિપક્ષ સાથે હાથ મિલાવી શકે છે કે જેમાં લાલુ પ્રસાદની આરજેડી અને કોંગ્રેસ શામેલ છે. ત્યાં બીજી બાજુ કુશવાહાએ કહ્યું કે તેઓએ એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં એમ જણાવ્યું કે આજે થનારી એનડીએનાં સહયોગી દળોની બેઠકમાં તેઓ ભાગ નહીં લે. એમ માનવામાં આવી રહેલ છે કે ઉપેન્દ્ર કુશવાહા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. તેમજ આગળની રણનીતિ નક્કી કરશે.
ઉપેન્દ્ર કુશવાહાએ પોતાનું રાજીનામુ આપ્યું છે. ઉપેન્દ્ર કુશવાહાએ પોતાનું રાજીનામું પીએમ મોદીને મોકલી આપ્યું છે. ત્યારે ઉપેન્દ્ર કુશવાહાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની નારાજગીનાં કારણો રજૂ કરતાં પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદી પર પ્રહાર કરતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે પીએમ મોદીએ પોતાનાં વાયદા પૂરા કર્યા નથી.
બિહાર આજે પણ ત્યાં જ છે કે જ્યાં પહેલાં હતું. હજુ સુધી બિહારનાં અચ્છે દિન આવ્યાં નથી. બિહારની આશા પર નરેન્દ્ર મોદી પી.એમ. તરીકે ખરા ઉતર્યા નથી. નિતીશ સરકારમાં બિહાર સાથે અન્યાય થયો છે. બીજી તરફ દેશભરમાં ઓ.બી.સી. નારાજ છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઉપેન્દ્ર કુશવાહા મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે. બિહારમાં નીતિશ કુમાર સાથે તેમનાં સંબંધોમાં ચકમક ઝરતા તેઓ સતત ભાજપ વિરોધી નિવેદનો આપી રહ્યાં છે.