સવર્ણ અનામતને લઇ હવે ગુજરાત બાદ UP સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત બાદ હવે ઉત્તરપ્રદેશમાં 10 ટકા સવર્ણ અનામત લાગુ કરાઇ છે. મહત્વનું છે કે યોગી સરકારે EBC અનામતને મંજૂરી આપી દીધી છે. ગુજરાત બાદ UP સરકારે પણ EBC અનામતને મંજૂરી આપી દીધી છે. ત્યારે અનામત લાગુ કરનાર UP હવે ગુજરાત બાદ બીજું રાજ્ય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે આગામી નજીકનાં સમયગાળામાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સવર્ણોને ધ્યાને રાખીને ખૂબ મોટો નિર્ણય કર્યો છે અને સવર્ણોની અનામત મંજૂર કરી છે. કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લેતાં સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી દેવાઇ છે. લોકસભા ચૂંટણી પહેલાં જ મોદી સરકારે મોટી જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે પાટીદાર અને મરાઠા અનામતનાં આંદોલનને લઈને મોદી સરકાર પર પહેલેથી જ પ્રેશર હતું. ત્યારે તેને ધ્યાને લાગી રહ્યું હતું કે મોદી સરકાર આ મુદ્દે કોઈ એક્શન લે. એવામાં આખરે ચૂંટણી નજીક આવતાં મોદી સરકારે સવર્ણ જાતિઓને લઈને અનામત જાહેર કરી દીધી.
જેમાં મુખ્યત્વે પાટીદાર રાજપૂતો અને બ્રાહ્મણો જેવી સવર્ણ જાતિઓને આ આર્થિક અનામતનો લાભ મળશે. આ જાહેરાતથી શિક્ષણ અને આર્થિક ધોરણે કેન્દ્રીય સ્તરે લાભ મળશે. આ સવર્ણોની અનામતની જાહેરાતથી અનામત ક્વૉટા 59 ટકા થશે.
ત્યારે મહત્વનું છે કે આ સવર્ણ અનામતને લઇ ગુજરાત સરકારે પણ ખૂબ મહત્વનો નિર્ણય કર્યો હતો. દેશમાં અપાયેલાં કેન્દ્રનાં નિર્ણયને લાગુ કરનાર ગુજરાત એ પ્રથમ રાજ્ય બન્યું છે. આર્થિક રીતે નબળાં લોકોને અનામતનો વિશેષ લાભ મળશે.
સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આનો વિશેષ લાભ મળશે. 8 લાખ કરતાં વાર્ષિક ઓછી આવક ધરાવનારને આ EBCનો લાભ મળશે. 5 એકર કરતાં ઓછી જમીન ધરાવનાર માલીકને પણ આનો લાભ મળશે.
મહત્વનું છે કે 14 જાન્યુઆરી 2019 પહેલાં સરકારી ભરતીની જે પરીક્ષાઓ આપવામાં આવી હશે તેમને આ લાભ આપવામાં નહીં આવે. જો કે 14 તારીખ બાદ લેનાર પરીક્ષાઓમાં આ લાભ આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે.