યુપીમાં ચૂંટણી પહેલા આજે રાજ્યમાં રેલીઓનો મહાકુંભ થશે.જ્યાં એક તરફ યુપીના પૂર્વ Cm અખિલેશ યાદવ Cm યોગીના ગઢ રેલી કરશે.જ્યારે અમિત શાહ આઝમગઢમાં રેલી કરશે
ઉત્તર પ્રદેશમાં આજે રેલીઓનો મહાકુંભ યોજાશે
અખિલેશ યાદવ CM યોગીના ગઢ ગોરખપુરમાં રેલી સંબોધશે
અમિત શાહ અખિલેશ યાદવના ગઢ આઝમગઢમાં રેલી કરશે
અખિલેશ યાદવના ગઢમાં અમિત શાહ
તમને જણાવી દઈએ કે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના ગઢમાં હશે.અમિત શાહ આઝમગઢ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ જનસભાને પણ સંબોધિત કરશે. પૂર્વાંચલમાં તમામ પક્ષોએ પોતાની તાકાત આપી દીધી છે. આજે ભાજપ અખિલેશ યાદવના સંસદીય ક્ષેત્ર આઝમગઢમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે. અમિત શાહ બપોરે 1 વાગ્યે જનસભાને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરસભાને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
બસ્તીમાં યોગી-શાહની રેલી
જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે યુપીની બસ્તીમાં ગર્જના કરશે. કેન્દ્રીય અમિત શાહ પણ બપોરે 3 વાગે બસ્તી પહોંચશે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ જનસભાને સંબોધશે.
અખિલેશ CM યોગીના ગઢમાં વિજય યાત્રા કાઢશે
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સીએમ યોગી આદિત્યનાથના ગઢ એવા ગોરખપુરમાં રહેશે. અહીં તેઓ સમાજવાદી વિજય યાત્રાના ત્રીજા તબક્કાની શરૂઆત કરશે. અખિલેશ યાદવ રથ પર બેસીને કુશીનગર જશે.