દિલ્હી સરકાર કોરોનાની વેક્સિન નહીં લેનારા પોતાના કર્મચારીઓને કોઈ પણ રાહત આપવાના મુડમાં નથી. 15 ઓક્ટોબર સુધી વેક્સિનનો એક પણ ડોઝ નહીં લેનારા કર્મચારીઓને સરકાર પહેલેથી જ 16 ઓક્ટોબરથી ઓફિસમાં ન આવવાનું કહી ચુકી છે. પહેલો ડોઝ નહીં લે ત્યાં સુધી કર્મચારીઓ રજા પર છે તેવુ માનવામાં આવશે.
દિલ્હી સરકારે આપ્યાં કડક આદેશ
વેક્સિન ન લેનારા કર્મચારીઓ જેલ જવાની તૈયારી રાખે
કર્મચારીઓને 1 વર્ષની જેલ અને દંડ પણ થઈ શકે
સરકારી કર્મચારીઓ જેલ જવાની તૈયારી રાખે
હવે વિભાગે ચેતવણી આપી છે કે વેક્સિન નહીં લેનારા સરકારી કર્મચારીઓ જેલ જવાની તૈયારી રાખે. દિલ્હીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 8 ઓક્ટોબરે આદેશ આપ્યો હતો કે દિલ્હી સરકારના કર્મચારીઓ, સ્વતંત્ર સંસ્થાઓ, પીએસયુ, સ્થાનિક એકમો અને સરકાર હેઠળ આવતી શિક્ષણ સંસ્થાઓ માટે 15 ઓક્ટોબર સુધી કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવો ફરજીયાત છે. ડેડલાઈનના વધુ 10 દિવસ વિતી ગયા છે. પરંતુ 2 લાખ કર્મચારીઓએ અત્યાર સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. આ કર્મચારીઓને કામ કરતા અટકાવ્યાં છે. સરકારના તમામ વિભાગો આવા કર્મચારીઓને કડક ચેતવણી આપી રહ્યાં છે.
કર્મચારીઓએ ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે
ડાયરેક્ટોરેટ ઓફ ટ્રેનિંગ એન્ડ ટેકનિકલ એજ્યુકેશને મંગળવારે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે ડીડીએમએના આદેશની અવગણના કરનારા કર્મચારીઓએ ફોજદારી કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે. ડાયરેક્ટોરેટે કહ્યું છે કે ડીડીએમએના આદેશનું પાલન નહીં કરે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 થી લઇને 60 મુજબ કાયદાકીય કાર્યવાહી થશે. કાયદાની કલમ 51 (b) હેઠળ જો કોઈ કર્મચારી કોઈ પણ તાર્કિક કારણોસર આ કાયદા હેઠળ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલ આદેશને નહીં માને તો તેને 1 વર્ષની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.