કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સરકાર વેક્સિનેશન પર ભાર આપી રહી છે. ઘણા બધાં લોકોએ વેક્સિનેશન કરાવી લીધું છે. પણ ઘણા એવા લોકો પણ છે, જેમણે વેક્સિન નથી લીધી.
કોરોનાના દુનિયામાં ફરી વધ્યા કેસો
વેક્સિન લેવી કેટલી મહત્વની તેના પર સ્ટડી થયો
ચોંકાવનારા તારણો સામે આવ્યા
કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સરકાર વેક્સિનેશન પર ભાર આપી રહી છે. ઘણા બધાં લોકોએ વેક્સિનેશન કરાવી લીધું છે. પણ ઘણા એવા લોકો પણ છે, જેમણે વેક્સિન નથી લીધી. ત્યારે આવા સમયે વેક્સિનેશનને લઈને એક સ્ટડી સામે આવ્યો છે. આ સ્ટડીમાં કહેવાયુ છે કે, જે લોકોએ કોરોના વિરુદ્ધ વેક્સિન નથી લીધી, તે લોકો વેક્સિન કરાવી ચુકેલા લોકો માટે મોટો ખતરો ઉભો કરશે. આ વાત એક મોડલ સ્ટડીમાં ખુલીને સામે આવી છે.
કેનેડામાંથી આવ્યો મોટો સ્ટડી
કેનેડામાં ટોરંટો યુનિવર્સિટીના રિસર્ચર્સે SARS-CoV-2 જેવી સંક્રામક બિમારી વિશે સમજવા માટે વેક્સિન લગાવી ચુકેલા અને વેક્સિન નહીં લગાવેલા લોકો પર સ્ટડી કર્યો હતો. આ લોકો પર વેક્સિનની કેટલી અસર થઈ. તે જાણવા માટે એક સરળ મોડલનો ઉપયોગ કર્યો.
વેક્સિન લીધેલા અને નહીં લીધેલા લોકો પર સ્ટડી થયો
આ સ્ટડીમાં સંશોધકોએ વેક્સિન લગાવી ચુકેલા લોકો અને વેક્સિન નહીં લીધેલા લોકોની વસ્તી એકઠી કરી, જેથી એક બીજાના સંપર્કમાં આવી શકે. આ તમામ અન્ય ગ્રુપ સાથે સંપર્કમાં હતા. ટોરંટો યુનિવર્સિટીમાં ડલા લાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ફિસમૈને કહ્યું કે, વેક્સિનને ફરજિયાત કરવાના વિરોધમાં કેટલાય લોકોનું કહેવુ છે કે, આ લોકોની પસંદ પર છે કે તેને વેક્સિન લેવી જોઈએ કે નહીં. ફિસમેને એક નિવેદનમાં કહ્યું છે કે, તેમને જાણવા મળ્યું છે કે, જે લોકોએ વેક્સિન નથી લગાવી તે લોકો ખતરો વધારી રહ્યા છે.
વેક્સિનેશન કરાવી ચુકેલા લોકોમાં સંક્રમણનો નવો ડર
આ સ્ટડી કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થઈ છે. વેક્સિન કરાવી ચુકેલા લોકોને ખતરો ત્યારે ઓછો થાય છે, જ્યારે વેક્સિન નહીં લગાવેલા લોકો એકબીજાને મળે છે. તેમા કહેવાયુ છે કે, જ્યારે વેક્સિન કરાવી ચુકેલા લોકો, વેક્સિન નહીં લેનારા લોકો સાથે મળે છે, તો વેક્સિન કરાવી ચુકેલા લોકોમાં સંક્રમણના ખૂબ જ નવા કેસ આવવા લાગે છે. ભલે વેક્સિનેશનનો દર વધારે કેમ ન હોય.