મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એમ.એસ. રમેશે તેમના ચુકાદામાં જણાવેલ છે કે એવો કોઇ નિયમ નથી કે હોટલના રૂમમાં અલગ અલગ જાતિની કે અ૫રિણીત વ્યક્તિઓ રહી ના શકે, જ્યારે બે વ્યક્તિઓ લિવ ઇન રિલેશનિશ૫માં હોય તો કોઇ ગુનો બનતો ના હોય તો આવામાં કોઇ અ૫રિણીત વ્યક્તિઓ કોઇ હોટલમાં રોકાય તો તેનાથી કોઇ ગુનો બનતો નથી.
કોઇમ્બતૂરમાં એક સર્વિસ એપાર્ટમેન્ટ ચાલી રહેલ હતું, તેમાં પોલીસની એક ટીમ દ્વારા તલાશી લેવામાં આવી હતી અને તે તલાશી દરમ્યાન એક રૂમમાંથી દારૂની બોટલો અને બે પુરુષ અને બે મિહલા મળી આવેલાં હતાં, જેઓને એકબીજા સાથે લગ્નસંબંધ ૫ણ ન હતા. પોલીસ દ્વારા એક લેખિત આદેશ કરીને તે મિલકતને સીલ કરી દેવામાં આવી હતી, જેનો કેસ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ હતો.
અરજદારે આક્ષે૫ કરેલ કે પોલીસ દ્વારા કોઇ ૫ણ જાતની બચાવ કરવાની તક આપ્યા વગર તેમની મિલકતને ફકત સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ સમાચારોના આધારે સીલ કરી દેવામાં આવેલ છે જ્યારે પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે મહેમાનો માટેના રિજસ્ટરમાં કોઇ નોંધ કરવામાં આવેલ નહીં તથા ફોર્મ-ડી પોલીસમાં મોકલી આપેલ નહીં અને તે મલકતના પાડોશીઓ દ્વારા ૫ણ તે બાબતે ૫ગલાં ભરવા અરજીઓ કરેલ હતી, જેથી પોલીસ દ્વારા ૫ગલાં ભરવામાં આવેલ છે. અદાલતે નોંધ લીધી કે મિલકતને સીલ કરવા માટેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયામાં ફેલાયેલ સમાચારોનું કારણ જણાઇ આવેલ હતું તથા જે દારૂની બોટલો મળી આવેલ હતી તેનું કોઇ વેચાણ કરવામાં આવેલ ન હતું અને તે બોટલો મહેમાનો લઇને આવેલ અને તેઓ તેમાંથી સેવન કરી રહેલ હતા તથા એવો કોઇ કાયદો નથી કે અ૫રિણીત બે વ્યક્તિઓ કોઇ હોટલમાં રોકાય તો કોઇ ગુનો બની શકે તથા તે બાબત પ્રતિબંધિત છે તેવો કોઇ નિયમ ૫ણ અદાલત સમક્ષ રજૂ કરી શકાયેલ નથી.
તામિલનાડુના Tamil Nadu Liquor (Possession for Personal Consumption) Rules, 1996 નિયમ મુજબ ૪ લિટર દેશી અને ૪ લિટર વિદેશી દારૂ તથા ૭ લિટર બિયર અને ૯ લિટર વાઇન એક સ્થળે રાજ્યમાં રાખવાનો અધિકાર રહે છે અને તે મુજબ તે દારૂની બોટલો મળી આવવી તે કોઇ ગુનો નથી તથા કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તક આપ્યા વગર મિલકત સીલ કરવી તે કાયદાના ભંગ બરાબર છે અને તે મુજબ આ અંગેના કેસમાં તા. ર૬-૧૧-૧૯ના રોજ માઇપ્રેફર્ડ ટ્રાન્સફોર્મેશન અને હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ, િવરુદ્ધ કલેકટરશ્રી, પોલીસ કિમશનરશ્રી, મ્યુ નિ.કિમશનરશ્રી, ઓયા હોટલ એન્ડ હોમ્સ પ્રા. લિ.ના કેસમાં ચુકાદો આપીને હુકમ કરેલ છે કે અદાલતને ભારતીય બંધારણ-રર૬ હેઠળ મળેલ સત્તા મુજબ અરજદારની મિલકત ઉ૫ર લગાવેલ સીલ ર દિવસમાં દૂર કરવાનો હુકમ કરવામાં આવેલ છે.