દેશમાં દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ ક્રાઈમના કેસોમાં વધારો થયો છે. સરકાર તરફથી સંસદના ચોમાસુ સત્રમાં આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
લોકસભામાં ક્રાઈમના આંકડા રજૂ થયા
દેશમાં દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારમાં વધારો થયો
આ રાજ્યોમાં સૌથી વધારે થયા અત્યાચાર
દેશમાં દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ ક્રાઈમના કેસોમાં વધારો થયો છે. સરકાર તરફથી સંસદના ચોમાસુ સત્રમાં આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આંકડા મુજબ વર્ષ 2018થી 2020ની વચ્ચે દલિત અને આદિવાસીઓ વિરુદ્ધ ગુનાના કેસો વધ્યા છે. દેશના ગૃહરાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં આંકડા ત્યારે રજૂ કર્યા હતા, જ્યારે તેલંગણાના કોંગ્રેસ સાંસદ કોમાતી રેડ્ડી અને ટીઆરએસના સાંસદ મન્ને શ્રીનિવાસ રેડ્ડીએ આ મામલે સવાલ પૂછ્યા હતા.
તેમણે જણાવ્યું છે કે, વર્ષ 2018માં દલિતો વિરુદ્ધ 42,793 ગુનાહિત ઘટનાઓ થઈ, જ્યારે બે વર્ષ બાદ 2020માં તે વધીને 50 હજારના આંકડાએ પહોંચી ગઈ તો, તો વળી આદિવાસીઓની વાત કરીએ તો, તેમના વિરુદ્ધ 2018માં 6528 ઘટનાઓ ઘટી હતી, જે વર્ષ 2020માં વધીને 8273 ઘટનાઓ થઈ ગઈ છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર વર્ષ 2019માં દલિતો વિરુદ્ધ 45961 કિસ્સા સામે આવ્યા હતા, તો વળી આદિવાસીઓ વિરુદ્ધ 7570 ઘટનાઓ ઘટી હતી.
યુપી અને બિહારમાં દલિત ઉત્પીડનના સૌથી વધારે કેસ
સંસદમાં રજૂ થયેલા આંકડા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહાર દલિત ઉત્પીડનમાં સૌથી આગળ છે. વર્ષ 2018ની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશમાં 11924 કેસ નોંધાયા હતા. જે 2019માં વધીને 11829 અને 2020માં 12714 થઈ ગયા છે. તો વળી બિહારમાં વર્ષ 2018માં 7061 કેસ હતા, તથા 2019માં ઘટીને 6544 પર પહોંચી ગયા અને 2020માં વધીને 7368 કેસ નોંધાયા હતા.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આદિવાસીઓના ઉત્પીડનમાં સૌથી આગળ
આદિવાસીઓ વિરુદ્ધ ગુનામાં સૌથી વધારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં નોધાયા છે. વર્ષ 2018માં આદિવાસીઓ વિરુદ્ધ ગુનામાં 1868 હતા, જે ઘટીને 20196માં 1845 થઈ ગયા હતા. જ્યારે 2020માં વધીને આ આંકડો 2401 પર જઈ પહોંચ્યો. તો વળી રાજસ્થાનમાં વર્ષ 2018માં 1095 કેસ નોંધાયા, 2019માં વધીને 1797 થયા અને 2020માં આ આંકડો 1878 થયો હતો.