કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલેએ પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન
પાટીદારને OBCમાં સામેલ ન કરી શકાયઃ અઠાવલે
2024માં NDAએ 400 થી વધુ સીટો જીતશેઃ આઠવલે
કેન્દ્રિયમંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રામદાસ અઠાવલેએ પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે
પાટીદારને OBCમાં સામેલ ન કરી શકાયઃ અઠાવલે
કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલેએ પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જ્યારે રામદાસ અઠાવલેએ દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી મહત્વનું છે કે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ RPI પ્રમુખના પિતાના બેસણામાં હાજરી આપવા માટે આવ્યા છે ત્યારે તેઓ RPIના કાર્યકરો સાથે પણ બેઠક યોજી તેમની સાથે ચર્ચાઓ પણ કરશે.
અઠાવલેએ EBC યોગ્ય નિર્ણય
અઠાવલેએ EBC યોગ્ય નિર્ણય છે પરતું સમાજને પુરતો લાભ નથી મળતો ત્યારે જેમની આવક 8 લાખથી ઓછી છે તેવા લોકોને અનામત લાભ મળે તેવો કાયદો બનાવવો જોઈએ ત્યારે પાટીદારોને OBCમાં સમાવવાની માંગને લઈ પ્રશ્ન પૂછાતા અઠાવલેએ જણાવ્યું હતું કે OBCમાં તેમનો સમાવેશ કરી શકાતો નથી ત્યારે તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય છે તેવું જણાવ્યું છે. જેને લઈ ભાજપ નેતા વરુન પટેલે જણાવ્યું કે સરકાર ખુબ વિશાળ હ્યદયની છે, આવનાર સમયમાં પાટીદાર આગેવાનો અને યુવાનોની બેઠક યોજી ચિંતનશિબીર યોજી બધાનો વિચાર સરકાર સમક્ષ રજૂ કરીશું, OBCમાં સમાવેશ કરવાની વાત છે કે અલગ ક્વોટો આપવાની માંગ છે તે તમામ સરકાર પુરી કરશે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી નજીક આવે તે ભાજપને અલગ અલગ સમાજ યાદ આવે છે, ચૂંટણી નજીક આવે ત્યારે બધા સમાજ પર પ્રેમ આવે છે, મનીશ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર તમામ સમાજને જુદી જુદી જાતિ અને ધર્મના નામે વહેંચવાનું કામ કરે છે તેવું જણાવ્યું છે.
મોદી સરકારના કામોને લઇ આઠવલેનું નિવેદન
રામદાસ અઠાવલેએ ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં અને આગામી સમયમાં ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓ તેમની પાર્ટી ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું છે. સાથે તેમને મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી, આઠવલે એ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.