કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ વડોદરામાં નવા બ્રીજનું લોકાર્પણ કર્યું. સાથેજ તેમણે કહ્યું કે વડોદરાથી મુંબઈ હવે માત્ર સાડા ત્રણ કલાકમાં પહોચી શકાશે.
દિલ્હીથી મુંબઈનો હાઈવે 1 લાખ કરોડના ખર્ચે બનાવાશે
અમૃતસરથી જામનગરના હાઈવેનું કામ પણ યથાવત
ગુજરાતમાં 1,25,000 કરોડના વિકાસના કામો યથાવત
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે વડોદરા શહેરની મુલાકાત લીધી જ્યા આગળ તેમણે નવીજ બ્રીજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. જેમા તેમણે લોકોને એવું કહ્યું કે PM મોદીએ ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્ત રહેવાનું જે સપ્નું જોયું છે તેને આપણે પૂર્ણ કરીશું.
દિલ્હીથી મુંબઈનો હાઈવે 1 લાખ કરોડના ખર્ચે બનશે
નિતિન ગડકરીએ વધુમાં કહ્યું કે દિલ્હીથી મુંબઈનો હાઈવે પણ એક લાખ કરોડના ખર્ચે બનાવામાં આવશે. જેમા તેમણે કહ્યું કે મુંબઈના નરીમન પોઈન્ટ સુધી આ તે હાઈવેને લઈ જવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
સાડાત્રણ કલાકમાં મુંબઈથી બરોડા પહોચી શકાશે
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એવું પણ કહ્યું કે માત્ર સાડાત્રણ કલાકમાં હવે મુંબઈથી બરોડા પહોચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે દાહોદથી વલસાડ સુધીનો પણ એક હાઈવે બનાવામાં આવશે જેથી લોકોને રાહત મળી રહેશે. અને આ હાઈવે પણ 36 હજાર કરોડના ખર્ચે બનાવામાં આવશે.
અમૃતસર-જામનગર હાઈવેનું કામ પણ યથાવત
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કેન્દ્રીય પરિવહન મંત્રીએ એવી માહિતી પણ આપી કે ગુજરાતમાં હાલ કુસ 1 લાખ 25 હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમા ધોલેરાથી અમદાવાદ સુધીનો એક્સપ્રેસ હાઈવે પણ બનાવામાં આવશે. સાથેજ અમૃતસરથી જામનગરના હાઈવેનું કામ પણ ચાલી રહ્યું છે.