કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનનું કહેવું છે કે 2021ની શરુઆતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થવાની આશા છે. આ માટે કેન્દ્ર સરકારે તમામ તૈયારીઓ કરતા રાજ્ય સરકારોને ગાઈડલાઈન પ્રદાન કરવાની સાથે ટ્રેનિંગ આપવાનું કાર્ય શરુ કરી દીધું છે. જેના યોગ્ય રીતે રસી આપીને કોરોનાને હરાવી શકાય.
2021ની શરુઆતમાં રસી ઉબલબ્ધ કરાવવાની આશા
મંત્રી ડૉ. હર્ષવર્ધનેનું કહેવું છે કે કોરોનાને હરાવવા ગાઈડલાઈન અનુસરો
તમામ રાજ્યોને રસીની વિતરણ અંગે ટ્રેનિંગ અપાઈ રહી છે
રોહતકના પીજીઆઈએમએસ, હરિયાણા સરકારના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિઝ તથા કુલપતિ ડૉ. ઓપી કાલરાના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે. આનું પરિણામ એ છે કે તે સંસ્થાનના ન્યૂ ઓટી કમ આઈસીયૂ કોમ્પ્લેક્ષનું ઉદ્ધાટન કરી રહ્યા છે. આ એક ખાનગી હોસ્પિટલ જેટલી સુવિધાઓથી સજ્જ હશે.
કેન્દ્રીય મંત્રી ગુરુવારે તેનું ઓનલાઈન ઉદ્ઘાટન પણ કર્યુ. આ પ્રસંગે હર્ષવર્ધનને નાક મોંને સારી રીતે ઢાંકવા અને લોકોને કોરોનાની ગાઈડલાઈનને અનુસરવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે હરિયાણામાં કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ આજે શરૂ થશે. આ પરીક્ષણમાં હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજ આજે કોરોના વેક્સીનનો ડોઝ અપાશે. તેઓએ પોતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હરિયાણાના આરોગ્ય મંત્રી ટ્રાયલ માટે વોલેન્ટિયર બન્યા છે અને તેમને આજે અંબાલાની હોસ્પિટલમાં ડૉક્ટર્સની નજર હેઠળ કોવેક્સીનની વેક્સીન અપાશે.
ઉલ્લેખનીય છે કે . સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે વેક્સીન આવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગી શકે છે અને સાથે જ તેઓએ કહ્યું કે શક્ય છે કે બાળકોને વેક્સીન સૌથી છેલ્લે આપવામાં આવે. કારણ કે તેમને કોરોનાનો ખતરો ઓછો હોવાનું માનવામાં આવી રહ્યું છે.