કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે રાજ્યસભાની પસંદગી સમિતિની ભલામણોને સામેલ કર્યા બાદ સરોગસી (નિયમન) બિલને મંજૂરી આપી દીધી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાજ્યસભા પસંદગી સમિતિની ભલામણોને સામેલ કરનારા સરોગસી (નિયમન) બિલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રીમંડળે સરોગસી (નિયમન) બિલને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે રાજ્યસભાની પસંદગી સમિતિની ભલામણોને સામેલ કરી
એક સંસદીય પેનલે ભલામણ કરી હતી કે ન માત્ર નજીકના સંબંધી, પરંતુ પોતાની ઇચ્છાથી સરોગસી કરનારી કોઇપણ મહિલાને સરોગેટના રૂપે કાર્ય કરવાની અનુમતિ આપવી જોઇએ. રાજ્યસભાના 23 સદસ્યોની પસંદગી સમિતિ દ્વારા સરોગસી (નિયમન) બિલ 2019માં ભલામણ કરવામાં આવેલ 15 મોટા બદલાવોમાં 'વંધ્યત્વ' ની પરિભાષાને સામેલ કરવી પણ સામેલ છે.
જાવડેકરે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ની કલમ 96ના હેઠળ જમ્મૂ અને કાશ્મીરના સંઘ રાજ્ય ક્ષેત્રમાં કેન્દ્રીય અધિનિયમોના અનુકુલન માટે એક આદેશ જારી કરવાની મંજૂરી આપી છે.
તેઓએ કહ્યું કે મંત્રીમંડળના લેક્કડિવ, મિનિકોય અને અમિંડીવી દ્વીપ સમૂહ ભૂમિ મહેસૂલ અને ભાડૂ નિયમન 1965ના સંશોધનને મંજૂરી આપી છે. આ લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં અનુસુચિત જનજાતિની વસ્તીને નિવાસ અધિકાર આપશે.