ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાની એક મોટી જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.
યુદ્ધની વચ્ચે રશિયાની ચોંકાવનારી જાહેરાત
યુક્રેન યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોનો કર્યો ઉપયોગ
પુતિને તેની અણુ બચાવ ટીમને તૈયાર રહેવાનો આપ્યો નિર્દેશ
દુનિયામાં હવે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાની એક મોટી જાહેરાતથી દુનિયામાં હાહાકાર મચ્યો છે. રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે યુદ્ધમાં યુક્રેન રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે.
રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના પરમાણુ પ્રતિનિધિ દળને એલર્ટ રહેવા માટે કહ્યું છે. રશિયાની સૌથી મોટી શક્તિને પરમાણુ હથિયાર માનવામાં આવે છે. જો પુતિન પરમાણુ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. આવી સ્થિતિમાં નાટો દેશો અને રશિયા આમને-સામને ટકરાશે. આ એલર્ટ બાદ દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. પશ્ચિમના દેશોએ ત્રીજા વિશ્વયુદ્ધ પહેલા જ તેને આપત્તિ ગણાવી છે.
યુએન ન્યુક્લિયર વોચડોગમાં સામેલ 35 દેશો બુધવારે કરશે બેઠક
રશિયાની આ જાહેરાત બાદ યુએન ન્યુક્લિયર વોચડોગમાં સામેલ 35 દેશો ટેન્શનમાં આવ્યાં છે અને તેમણે આ મુદ્દે બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
UN nuclear watchdog's 35-nation Board of Governors will hold an emergency meeting on Wednesday about Ukraine: Reuters
પરમાણુ હાઈ એલર્ટ પર પુતિનો નિર્ણય અસ્વીકાર્ય-UNમાં અમેરિકાનું નિવેદન
અમેરિકાએ પરમાણુ હાઈ એલર્ટ પર પુતિનો નિર્ણયનો અસ્વીકાર્ય કર્યો છે.UNમાં અમેરિકાન રાજદુતે કહ્યું કે પરમાણુ હાઈ એલર્ટ પર પુતિનો નિર્ણય મંજૂર નથી.
યુક્રેન બેલારુસમાં મંત્રણા માટે તૈયાર હોવાનો પણ રશિયન મીડિયાનો દાવો
યુક્રેને બેલારુસમાં વાતચીત માટે સહમતી દર્શાવી હતી. આ દાવો રશિયન મીડિયાએ કર્યો છે. રશિયન મીડિયાનો દાવો છે કે યુક્રેનનું પ્રતિનિધિમંડળ બેલારુસ જવા રવાના થયું છે, જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગીઓને મળશે.
બેલારુસમાં મોકલ્યું દળ
રશિયન મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને તેના એક પ્રતિનિધિમંડળને બેલારુસ મોકલી આપ્યું છે જે રશિયાના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરીને કોઈ ઉકેલ કાઢશે. આ પહેલા બેલારુસમાં શાંતિ મંત્રણા માટે યુક્રેને ના પાડી દીધી હતી અને બેલારુસને બદલે બીજા કોઈ સ્થળે શાંતિ મંત્રણાનું જણાવ્યું હતું પરંતુ રશિયા બેલારુસમાં જ વાતચીત કરવા મક્કમ રહ્યું હતું.
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને પહેલી મોટી સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. ખારકીવના ગર્વનર ઓલેહ સિનેગુબોવે જણાવ્યું છે કે યુક્રેની દળોએ દેશના બીજા મોટા શહેર ખારકીવ પર કબજો મેળવી લીધો છે. યુક્રેની દળોએ ખારકીવને રશિયન સૈનિકોની પકડમાંથી છોડાવી લીધું છે. ગર્વનર ઓલેહ સિનેગુબોવે કહ્યું કે ખારકીવ પર અમે અમારો સંપૂર્ણ કબજો છે. સશસ્ત્ર દળ, પોલીસ અને રક્ષા દળ પોતપોતાનું કામ કરી રહ્યાં છે અને શહેરમાંથી દુશ્મનોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. ખારકીવના ગવર્નર ઓલેહ સીનેગુબોવે ટેલિગ્રામ પર લખ્યું છે, "ખાર્કિવ પરનો અંકુશ સંપૂર્ણપણે અમારો છે! સશસ્ત્ર દળો, પોલીસ અને સંરક્ષણ દળો તેમનું કામ કરી રહ્યા છે, અને શહેરને દુશ્મનથી સંપૂર્ણપણે સાફ કરવામાં આવી રહ્યું છે.